ઓડિસા બાદ પંજાબમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુંધી વધારાયું
નવી દિલ્હી, 10 એપ્રિલ 2020 શુક્રવાર
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે પંજાબમાં પણ લોકડાઉન અને કર્ફયુની સમયાવધી વધારીને 30 એપ્રિલ કરવામાં આવી છે.
રાજ્યનાં અધિક મુખ્ય સચિવ કે.બી.એસ. સિંધુએ શુક્રવારે આ માહિતી આપી, તે સાથે જ ઓડિસા બાદ પંજાબ લોકડાઉન વધારનારૂ દેશનું બીજુ રાજ્ય બન્યું છે.
પંજાબનાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહે પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવાનાં સંકેત આપ્યા હતાં અને કહ્યું હતું કે સરકાર તેને વધારવા માટે ગંભીરતાથી વિચારી રહી છે, કેમ કે લોકડાઉન વધારવાનો આ યોગ્ય સમય નથી.
તેમણે કહ્યું કે કોરોના વાયરસનાં વિરૂધ્ધ કેન્દ્ર દ્વારા રાજ્યો માટે નક્કી કરેલું 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ અત્યારે પુરતું નથી અને એવામાં મોદી સરકારે પુરતી નાણાકીય મદદ રાજ્યોને આપવી જોઇએ.
ખેડુતોને લોકડાઉનમાં રાહત
મુખ્યપ્રધાન અમરિંદર સિંહે જણાવ્યું કે 15 એપ્રિલથી ખેડુતોને પાકની લળણી માટે લોકડાઉનમાં રાહત આપવામાં આવશે અને તેમાં પણ સામાજીક અંતરનું ધ્યાન રાખવામાં આવશે.
Punjab cabinet extends curfew restrictions till April 30: Special chief secretary KBS Sidhu
— Press Trust of India (@PTI_News) April 10, 2020