For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Coronavirus: દેશભરમાં 24 કલાકમાં રેકોર્ડ 83 દર્દીનાં મોત, 2487 નવા કેસ, કુલ મોત 1306

Updated: May 3rd, 2020

Article Content Imageનવી દિલ્હી, 3 એપ્રિલ 2020 રવિવાર

ભારતમાં વિદેશી નાગરિકો સહિતના કોરોના વાયરસ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા રવિવાર (3 મે) ના રોજ 40,263 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે જારી કરેલા આંકડામાં જણાવ્યું છે કે દેશમાં કોવિડ -19 ચેપને કારણે 1306 લોકો મૃત્યુ પામ્યા છે અને હાલમાં કુલ 28,070 વ્યક્તિ રોગચાળાથી સંક્રમિત છે.

ત્યાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2487 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે 83 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 692 લોકો કોરોનાથી સાજા થયા અને આવા લોકોની સંખ્યા 10887 (1 માઇગ્રેટેડ) પર પહોંચી ગઈ છે, 

આરોગ્ય મંત્રાલયે રવિવારે (3 મે) સાંજે 5 વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસનો પ્રકોપ દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઇ ચુક્યો છે.

કોવિડ -19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત  મહારાષ્ટ્ર,છે, જ્યાં અત્યાર સુધીમાં 521 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં વાયરસથી 151 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના સૌથી વધુ 12296 કેસ નોંધાયા છે. આ પછી 5૦54 કેસ સાથે ગુજરાત બીજા સ્થાને ત્યારબાદ દિલ્હીમાં 4122 કેસ સાથે ત્રીજા અને મધ્યપ્રદેશ 2846 કેસ સાથે ચોથા સ્થાને છે.

Gujarat