For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

COVID19 : કેરળમાં પ્રથમ મોત, ભારતમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યો

Updated: Mar 28th, 2020

COVID19 : કેરળમાં પ્રથમ મોત, ભારતમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યોનવી દિલ્હી, 28 માર્ચ 2020 શનિવાર

ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કેરળમાં પણ એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. કેરળની એર્નાકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 69 વર્ષીય વ્યક્તિનું શનિવારે અવસાન થયું છે. રાજ્યમાં આ ચેપી રોગને કારણે મૃત્યુ પામવાનો આ પહેલો કેસ છે.

સરકારી હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે એર્નાકુલમનાં રહેવાસી આ વ્યક્તિને દુબઈથી પરત ફર્યા બાદ 22 માર્ચે તેને એક અલગ વોર્ડમાં દાખલ કરાયો હતો.

આ મૃત્યુ સાથે ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20 થઈ ગઈ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યુમોનિયાના લક્ષણોને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને હાર્ટ ડિસીઝ અને હાઈ બ્લડ પ્રેશર પણ હતું અને બાયપાસ સર્જરી પણ કરાવી હતી.

વૃદ્ધે સવારે આઠ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. નિવેદન મુજબ મૃતદેહ પરિવારને સોંપાયો છે.

ભારતમાં અત્યાર સુધીમાં કેટલા મોત

ભારતમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં કુલ 873 લોકોને ચેપ લાગવાની પુષ્ટિ કરવામાં આવી છે,

જેમાંથી 775 હજી પણ કોવિડ -19 થી પીડિત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી.

દેશમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે 19 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે, કેરળમાં એકનું મોત થતા સંખ્યા 20 થઈ ગઈ છે. આ ઉપરાંત, સારવાર બાદ 78 વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.

દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોવિડ -19 ચેપના કિસ્સા સામે આવ્યા છે. જીવલેણ વાયરસથી કુલ 103 જિલ્લા પ્રભાવિત થયા છે.

Gujarat