Get The App

તબલિગી જમાત પર રેસલર બબિતા ફોગટના ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર સંગ્રામ

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
તબલિગી જમાત પર રેસલર બબિતા ફોગટના ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર સંગ્રામ 1 - image

નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર

ભારતની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત રેસલર બબિતા ફોગટે તબલિગી જમાત પર કરેલા ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર જંગ જામી ગયો છે.

એક તરફ મોટા પાયે લોકો તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે તો બીજી તરફ ફોગટના ટ્વિટનો વિરોધ કરી રહેલા લોકોએ તેનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે પણ ઝુંબેશ ચલાવી છે.

બબીતા ફોગટે તાજેતરમાં કહ્યુ હતુ કે, દેશમાં તબલિગી જમાતના કારણે જ કોરોના વાયરસ ફેલાયો છે. આજે દેશમાં સૌથી વધારે કેસ જમાતના લોકોના છે. જો તબલિગી જમાતે વાયરસ ના ફેલાવ્યો હોત તો આજે લોકડાઉન ખતમ થઈ ગયુ હોત.

બબીતાએ કહ્યુ હતુ કે, કોરોના વાયરસ દેશની બીજા નંબરની સમસ્યા છે અને પહેલા નંબર પર હજી જમાતી જ છે.

બબીતાનુ તેની બહેન ગીતાએ પણ સમર્થન કર્યુ છે. આ સિવાય બીજા રેસલર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે.

તબલિગી જમાત પર રેસલર બબિતા ફોગટના ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર સંગ્રામ 2 - imageહવે બબીતાએ બીજો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યુ છે કે, મારા તબલિગી જમાતના ટ્વિટ બાદ લોકો મને ધમકી આપી રહ્યા છે પણ એટલુ સમજી લે કે હું ઝાયરા વાસિમ નથી કે હું ડરી જઉં.

ઉલ્લેખનીય છે કે, બબિતા ફોગટના જીવન પરથી બોલીવૂડ સુપર સ્ટાર આમિર ખાને ફિલ્મ દંગલ બનાવી હતી. જે સુપરહિટ પૂરવાર થઈ હતી.