પીએમ મોદીનુ ભાષણ ઉપરછલ્લુ અને ખોખલુઃ કોંગ્રેસ
નવી દિલ્હી, તા.14 એપ્રિલ 2020, મંગળવાર
પીએ મોદીએ લોકડાઉન વધારવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે મોદીના ભાષણને ખોખલુ અને ઉપરછલ્લુ ગણાવ્યુ છે.
કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં નથી કોઈ રાહત પેકેજની વાત અને નથી ઈકોનોમીને ઉગારવા માટે કયા પ્રકારના પગલા ભરાશે તેની વાત. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ગરીબોને 40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે નોધારા મુકી દેવાયા છે.
તેમણે કહ્યુ હતુ કે, પૈસા છે અને ભોજન પણ છે પણ સરકાર આપશે નહી. મારા દેશવાસીઓ તમે રડો.બીજી તરફ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ કહયુ હતુ કે, લોકો તરફથી સરકારને શું આશા છે તે તો વડાપ્રધાને કહ્યુ પણ સરકાર લોકો માટે શું કરશે તે વાત નથી કરી.But beyond the lockdown, what was ‘new’ in PM’s new year message?
— P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020
It is obvious that livelihood for the poor — their survival — is not among the priorities of the government.
કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, કોરોના સામે લડવા માટેનો રોડમેપ તો દેખાતો નથી. નેતૃત્વનો મતલબ એ નથી કે લોકોને જવાબદારીનો અહેસાસ કરાવવો બલ્કે તેનો મતલબ એ છે કે, લોકો પ્રત્યે સરકાર પોતાની ફરજ નિભાવે.
मा: मोदीजी,
— Randeep Singh Surjewala (@rssurjewala) April 14, 2020
देश आज इन 7 बातों/सप्तपदी पर रोडमैप चाहता है-:
2. कोरोना के ख़िलाफ़ अग्रिम पंक्ति के योद्धा डॉक्टर-नर्स-स्वास्थ्यकर्मी-पुलिसकर्मी-सफ़ाईकर्मी हैं। इनके लिए अब तक एन-95 मास्क और पीपीई की ज़बरदस्त कमी है।
इस मसले पर आपकी चुप्पी क्यों?
यह सुरक्षाकवच कब उपलब्ध होगा? https://t.co/GQV2MihkBs
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં મુખ્ય વાત જ ગાયબ હતી. ઉપદેશ અને પ્રેરણા આપવાની વાતો તો કરી પણ બધુ ખોખલુ છે. ના ગરીબો માટે કે ના મધ્યમ વર્ગ માટે કે ના ઉદ્યોગો માટે કોઈ જાહેરાત નથી.
Amazing #PM address. Exhortation, rhetoric, inspiration.....yet hollow on specifics! No financial package, no details, no concrete item. Neither 4poor nor middle class nor industry nor businesses. #Lockdown is good bt cannot be end in itself! Where is single livelihood issue?
— Abhishek Singhvi (@DrAMSinghvi) April 14, 2020