બિહારમાં કોંગ્રેસની 'આક્રમક' વ્યૂહનીતિના કારણે બદલાશે સમીકરણ? ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં ખટપટ
Bihar election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણી 2025ની તૈયારીઓમાં કોંગ્રેસે પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. પાર્ટી માત્ર પોતાને મજબૂત કરવાની દિશામાં જ નહીં પરંતુ ગઠબંધનમાં સહયોગી રાષ્ટ્રીય જનતા દળ(RJD)ને પાછળ છોડીને ડ્રાઇવિંગ સીટ પર બેસવાની કોશિશમાં લાગેલી છે. કોંગ્રેસની નવી રણનીતિ અને સતત નવા કાર્યક્રમ એ વાતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે, તે બિહારમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
રોજગાર અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પર એક સાથે ધરણાની યોજના
કોંગ્રેસે સંગઠનાત્મક વિસ્તરણ અને મજબૂતીકરણ પર ભાર મૂકતા અનેક પગલાં લીધા છે. પાર્ટીએ માત્ર RJDની 'માઈ બહિન માન' યોજનાને અપનાવી નથી, પરંતુ તેજસ્વી યાદવ કરતાં તેના પર વધુ સક્રિયતા પણ દર્શાવી છે. રાહુલ ગાંધીએ અત્યંત પછાત અને દલિત સમુદાયોને આકર્ષવા માટે સતત બિહારની મુલાકાતો લઈ રહ્યા છે, જેના કારણે તેઓ તેજસ્વી કરતાં વધુ પ્રભાવી જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસે બિહારના તમામ 38 જિલ્લાઓમાં રોજગાર અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પર એક સાથે ધરણા યોજવાની યોજના બનાવી છે, જે તેમની આક્રમક રણનીતિનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસ લઈ રહી છે મોટા નિર્ણયો
કોંગ્રેસે સંગઠનમાં પણ મોટા ફેરફારો કર્યા છે. લાલુ યાદવના નજીકના રહેલા અખિલેશ સિંહને પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવીને દલિત નેતાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, બિહારના પ્રભારી બદલીને પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે પોતાની શરતો પર કામ કરશે. આ પગલાં કોંગ્રેસની સ્વતંત્ર રણનીતિ અને ગઠબંધનમાં પોતાની ઓળખ બનાવવાના તેના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો : BIG NEWS: અરબ સાગરમાં જહાજમાં ભીષણ આગ, 'INS સુરત' મદદ માટે રવાના, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
કોંગ્રેસ તેની રણનીતિ દ્વારા ગઠબંધનમાં અગ્રણી ભૂમિકાની નિભાવશે
મહાગઠબંધનમાં કોંગ્રેસ, RJD, ભાકપા-માલે અને મુકેશ સહનીની વીઆઇપી પાર્ટી સામેલ છે. પરંતુ ગઠબંધનની ત્રણ બેઠકોમાં ન તો સીટ આપવામાં સહમતિ થઈ, ન તેના પર કોઈ કાર્યક્રમ નક્કી થયા. દરેક પક્ષ પોત-પોતાની તાકાત બતાવવામાં લાગેલું છે. RJD પોતાના પારંપારિક મુસ્લિમ યાદવ વોટ બૅંકને મજબૂત કરવામાં લાગેલી છે, જ્યારે માલે દલિત અને ગ્રામીણ મતદાતા પર ફોક્સ કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પોતાની રણનીતિ દ્વારા ગઠબંધનમાં અગ્રણી ભૂમિકા નિભાવવાની કોશિશમાં છે.