India

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષાને લઇને મોટો નિર્ણય લેવાયો છે. હિજાબ વિવાદ બાદ મળેલા ગુપ્ત ઇનપુટને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષાને વધુ કડક કરી દેવાઈ છે. સૂત્રોના અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ શક્યતા વ્યક્ત કરી છે કે કેટલાક અસામાજિક અને ગુનાહિત તત્ત્વો નીતિશ કુમારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારબાદ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી
Image Source: IANS

Nitish Kumar Hijab Row: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષાને લઇને મોટો નિર્ણય લેવાયો છે. હિજાબ વિવાદ બાદ મળેલા ગુપ્ત ઇનપુટને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષાને વધુ કડક કરી દેવાઈ છે. સૂત્રોના અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ શક્યતા વ્યક્ત કરી છે કે કેટલાક અસામાજિક અને ગુનાહિત તત્ત્વો નીતિશ કુમારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારબાદ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે.

આ પણ વાંચો: હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો

સૂત્રોના અનુસાર, મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા ડીજીપી બિહાર અને એડીજી સ્તર પર કરાઈ છે. આ સમીક્ષા બાદ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપના સુરક્ષા ઘેરાને પહેલાથી વધુ કડક કરવાનો નિર્દેશ અપાયો છે. હવે મુખ્યમંત્રી નીતિશ કુમારના ખૂબ નજીક માત્ર હાઈ પ્રોફાઇલ અને પસંદગીના લોકો જ જઈ શકશે. તેમના કાર્યક્રમો, આાસ અને મૂવમેન્ટ દરમિયાન સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત કરી દેવાયો છે.

સમાચાર છે કે, તમામ જિલ્લાઓના એસએસપી અને એસપીને પણ વિશેષ સતર્કતા વર્તવાના નિર્દેશ અપાયા છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસ દળની તૈનાતી અને દેખરેખ વધારવામાં આવી રહી છે. સૂત્રોના અનુસાર, હાલના દિવસોમાં મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ મળવાની પણ માહિતી સામે આવી છે. તેના ઇનપુટ્સને ગંભીરતાથી લેતા સુરક્ષા એજન્સીઓએ ખતરાની આશંકા વ્યક્ત કરી છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરાઈ છે.

આ પણ વાંચો: 'નીતિશ કુમાર માફી માગે નહીંતર...', હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડોનની એન્ટ્રી, CMને ધમકાવ્યા

ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, હિજાબ વિવાદ બાદ કેટલાક કટ્ટર અને અસામાજિક તત્ત્વોમાં નારાજગી જોવા મળી છે. તેવામાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મુખ્યમંત્રીને નિશાન બનાવવાનો પ્રયાસ કરાઈ શકે છે. તેને જોતા સોશિયલ મીડિયા મોનીટરીંગ પણ ઝડપી અને કડક કરાઈ રહ્યું છે. આ સાથે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.