India

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

By GS Team
18 Aug 20253 mins read
This article was originally published on 18 Aug 2025
TukuTouch Logo
ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ તેમના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું. ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે સંસદીય બોર્ડની બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. સી. પી. રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમના સમર્થકો તેમને 'તમિલનાડુના મોદી' (Modi of Tamil Nadu) તરીકે સંબોધિત કરે છે. એવામાં જાણીએ કે સી.પી. રાધાકૃષ્ણન કોણ છે, ક્યાંના છે, કેટલું ભણ્યા છે, તેમનું સામાજિક જીવન કેવું રહ્યું છે અને સાથે જ રાજકીય સફર કેવી રહી છે?

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

Vice President Candidate CP Radhakrishnan: ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ તેમના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું. ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે સંસદીય બોર્ડની બેઠકમાં નવા ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. સી. પી. રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમના સમર્થકો તેમને 'તમિલનાડુના મોદી' (Modi of Tamil Nadu) તરીકે સંબોધિત કરે છે. એવામાં જાણીએ કે સી.પી. રાધાકૃષ્ણન કોણ છે, ક્યાંના છે, કેટલું ભણ્યા છે, તેમનું સામાજિક જીવન કેવું રહ્યું છે અને સાથે જ રાજકીય સફર કેવી રહી છે?

કોણ છે સી.પી. રાધાકૃષ્ણન?

સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર, 1957ના રોજ તમિલનાડુના તિરુપ્પુર ખાતે થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. તેમના પિતાનું નામ સી.કે. પોન્નુરવામી અને માતાનું નામ કે. જાનકી અમ્માલ છે. 

સી.પી. રાધાકૃષ્ણન 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. આ પદ પર તેમની નિમણૂક પહેલાં, તેઓ લગભગ દોઢ વર્ષ સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે થોડા સમય માટે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ચાર દાયકાથી વધુના અનુભવ સાથે, રાધાકૃષ્ણન તમિલનાડુના રાજકારણ અને જાહેર જીવનમાં એક સન્માનિત નામ છે.

1957માં તમિલનાડુના તિરુપ્પુરમાં જન્મેલા રાધાકૃષ્ણને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આરએસએસના સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને, તેઓ 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા.

ભાજપના સચિવ અને સાંસદ તરીકેની કારકિર્દી

વર્ષ 1996માં રાધાકૃષ્ણને તમિલનાડુમાં ભાજપના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ 1998માં તેઓ કોઈમ્બતુરથી પહેલીવાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને વર્ષ 1999માં તેઓ ફરીથી સાંસદ બન્યા. સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ટેક્સટાઇલ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેઓ પબ્લિક સેક્ટર યુનિટ સંબંધિત સંસદીય સમિતિ અને નાણા સંબંધિત સલાહકાર સમિતિના પણ સભ્ય હતા. તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ કરનારી સંસદીય વિશેષ સમિતિના સભ્ય પણ હતા.

સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય યાત્રા

વર્ષ 2004માં રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. તેઓ તાઇવાન ગયેલા પહેલા સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા. 2004થી 2007ની વચ્ચે, રાધાકૃષ્ણન તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા. આ પદ પર રહીને, તેમણે 93 દિવસ સુધી ચાલેલી 19,000 કિલોમીટરની 'રથયાત્રા' પણ કરી.

આ યાત્રા ભારતીય નદીઓને જોડવી, આતંકવાદનો નાશ, સમાન નાગરિક સંહિતા લાગુ કરવી, અસ્પૃશ્યતા નાબૂદ કરવી અને નશાની સમસ્યાનો સામનો કરવો જેવી તેમની માંગણીઓ માટે આયોજિત કરવામાં આવી હતી. તેમણે વિવિધ હેતુઓ માટે અન્ય બે પદયાત્રાઓનું પણ નેતૃત્વ કર્યું.

વર્ષ 2016માં રાધાકૃષ્ણને કોચીના કોયર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેઓ ચાર વર્ષ રહ્યા. તેમના નેતૃત્વમાં, ભારતમાંથી કોયરની નિકાસ ₹2,532 કરોડના ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી પહોંચી. 2020થી 2022 સુધી, તેઓ કેરળ માટે ભાજપના અખિલ ભારતીય પ્રભારી રહ્યા.

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકેની ભૂમિકા અને કાર્ય

18 ફેબ્રુઆરી, 2023ના રોજ રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના પહેલા ચાર મહિના દરમિયાન, તેમણે ઝારખંડના તમામ 24 જિલ્લાઓની મુલાકાત લીધી અને નાગરિકો અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. મહારાષ્ટ્રના રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યા પછી, રાધાકૃષ્ણને સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો. તેઓ જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વેપારી નેતાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોને મળ્યા.

આ પણ વાંચો: 'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે

તેમણે ગ્રામીણ કલ્યાણના ક્ષેત્રમાં પણ ઘણા પગલાં લીધા છે. રાધાકૃષ્ણન ટેબલ ટેનિસમાં કોલેજ ચેમ્પિયન અને દોડવીર હતા. તેમને ક્રિકેટ અને વોલીબોલનો પણ શોખ હતો.

રાધાકૃષ્ણને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ, બેલ્જિયમ, હોલેન્ડ, તૂર્કિયે, ચીન, મલેશિયા, સિંગાપોર, તાઇવાન, થાઇલેન્ડ, ઇજિપ્ત, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને જાપાનની મુસાફરી કરી છે.