બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પંચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar SIR Voter List: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે તેમની વેબસાઇટ પર બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોની યાદી જાહેર કરી છે. હવે મતદાર યાદીમાંથી બહાર કરાયેલા મતદારો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ચૂંટણી પંચમાં દાવો દાખલ કરી શકશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજીયાલે આ અંગે સૂચના જાહેર કરી જણાવ્યું કે, 'જે લોકોના નામ મતદાર યાદીમાં ન હોય તેવા લોકો તેમના આધાર કાર્ડની નકલ સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી શકે છે.'
રાજ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 'જે મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ નથી, તેઓ તેમના EPIC નંબર દ્વારા આ યાદીમાં તેમના નામની નોંધણી અને કારણ વિશે માહિતી મેળવી શકે છે. 01.08.2025 ના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ ન હોય તેવા મતદારોની યાદી તમામ બ્લોક ઓફિસો, પંચાયત ઓફિસો, મ્યુનિસિપલ બોડી ઓફિસો અને મતદાન મથકો પર પણ પ્રદર્શિત કરવામાં આવી છે, જેના દ્વારા આવા મતદારો કારણ સાથે તેમની નોંધણી સંબંધિત માહિતી અને સૂચનાઓ મેળવી શકે છે.
તેમણે આધાર કાર્ડ વિશે શું કહ્યું?
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'અસંતુષ્ટ વ્યક્તિઓ તેમના આધાર કાર્ડની નકલ સાથે પોતાનો દાવો સબમિટ કરી શકે છે.' જો કે, તે સ્પષ્ટ નથી કે આવા મતદારોએ તેમના નામ ફરીથી યાદીમાં લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ફરજિયાત 11 દસ્તાવેજોમાંથી કોઈ સબમિટ કરવું પડશે કે કેમ.
આ પણ વાંચો: જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, કહ્યું- 'વાંગ યીને મળીને આનંદ થયો'
રવિવારે, બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ ખાસ સઘન સુધારણા (SIR) ના પ્રથમ તબક્કામાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ નામોની વિગતો પ્રકાશિત કરી. આ ત્યારે બન્યું જ્યારે સુપ્રીમ કોર્ટે SIR વિરુદ્ધ અરજીઓની સુનાવણી કરતી વખતે ચૂંટણી પંચને ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા હતા તેમની વિગતો પ્રકાશિત કરવાનો અને કાઢી નાખવાના કારણો આપવાનો નિર્દેશ આપ્યો.
વિપક્ષે દાવો કર્યો હતો કે ઘણા લોકો જીવંત છે
વિપક્ષી પક્ષો અને અન્ય કાર્યકરોએ SIR પ્રક્રિયા દરમિયાન સંભવિત ભૂલો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે આ પ્રક્રિયા દરમિયાન મૃત જાહેર કરાયેલા ઘણા લોકો, જેમના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, તેઓ ખરેખર જીવંત છે.
આ પણ વાંચો: ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે








