બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Bihar Flood: બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારાની અસર કટિહાર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના 6 તાલુકા- કુર્સેલા, બરારી, મનિહારી, અમદાવાદ, માનસાહી અને પ્રાણપુર પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 5 લાખની વસ્તી પ્રભાવિત છે. કટિહારમાં ગંગા, કોસી, બારાંડી અને કારી કોસીના જળસ્તરમાં વધારો થવાને કારણે કટિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે.
આ પણ વાંચોઃ ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત
ગંગાના પાણી ઘરમાં ઘૂસી ગયા
કટિહારમાં મંગળવારે મણિહારી તાલુકાના મેદિનીપુર ગામમાં ગંગાના પાણીએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને આખું ગામ 4 થી 5 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. લોકો પાસે હોડી સિવાય પરિવહનનું કોઈ સાધન નથી. જોકે, લોકોનો આરોપ છે કે સ્થાનિક વહીવટીતંત્રે ગ્રામજનોને કોઈ હોડી પૂરી પાડી નથી અને ગ્રામજનો ખાનગી હોડીઓ પર જીવી રહ્યા છે. આખા ગામમાં પાણી ઘૂસી ગયું છે, પરંતુ તેમ છતાં, ઘણા પરિવારો સુરક્ષિત સ્થળોએ જવાને બદલે પોતાના ઘરોમાં જ રહી રહ્યા છે અને જો તેમને કોઈ જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓની જરૂર હોય, તો તેઓ હોડી દ્વારા બજારમાં જાય છે અને પછી ઘરે પાછા ફરે છે.
![]() |
| Image: @sunshine_rahul |
સ્થાનિકોને હાલાકી
મેદિનીપુર ગામમાં મોહમ્મદ સુરાઝુદ્દીનનું ઘર આખુંય પાણીમાં ડૂબી ગયું છે. તેમનો આરોપ છે કે, છેલ્લાં એક અઠવાડિયાથી તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે પરંતુ, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પૂછવા પણ આવ્યું નથી. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને દર વર્ષે ગંગાનું પાણી આ પ્રકારે ઘરમાં ઘુસી જવાથી હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ
આખેઆખું ગામ ડૂબી ગયું
પૂરથી પ્રભાવિત મેદિનીપુર ગામની શાળા પણ પાણીમાં ડૂબી ગઈ છે. શાળા સુધી પહોંચવા પણ લોકોએ હોડીનો સહારો લેવો પડે છે. શાળાનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ છે. જોકે, અમુક પરિવારે શાળાના પહેલાં માળ પર આસરો મેળવ્યો છે.









