India

રાહુલ ગાંધી બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે, આજથી સાસારામથી થશે પ્રારંભ

By GS TEAM
17 Aug 20253 mins read
TukuTouch Logo
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બિહારમાં SIR પ્રક્રિયા અને 'વોટ ચોરી'ના વિરોધમાં 17 ઓગસ્ટથી બિહારના સાસારામથી 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે. વરિષ્ઠ RJD નેતા તેજસ્વી યાદવ સહિત I.N.D.I.A. બ્લોકના તમામ નેતાઓ આ યાત્રામાં ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધી બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે, આજથી સાસારામથી થશે પ્રારંભ
Image Source: IANS

Voter Adhikar Yatra in Bihar: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બિહારમાં SIR પ્રક્રિયા અને 'વોટ ચોરી'ના વિરોધમાં 17 ઓગસ્ટથી બિહારના સાસારામથી 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે. વરિષ્ઠ RJD નેતા તેજસ્વી યાદવ સહિત I.N.D.I.A. બ્લોકના તમામ નેતાઓ આ યાત્રામાં ભાગ લેશે.

ઇન્દિરા ભવનમાં કોંગ્રેસના મુખ્યાલયમાં આ માહિતી આપતા કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ યાત્રાનો વિગતવાર રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ યાત્રા 17 ઓગસ્ટે બિહારના સાસારામથી શરૂ થશે અને તે 16 દિવસમાં 1300 કિમીનું અંતર કાપશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ઉપરાંત I.N.D.I.A. બ્લોકના અન્ય નેતાઓ પણ યાત્રામાં ભાગ લેશે.

આ પણ વાંચો: 'જો વોટર લિસ્ટમાં 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં વાંધો શું?' સુપ્રીમનો ECને સવાલ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ યાત્રા 17 ઓગસ્ટે રોહતાસના સાસારામથી શરૂ થશે. 18 ઓગસ્ટે દેવ રોડ, અંબા-કુંડુમ્બા, 19 ઓગસ્ટે હનુમાન મંદિર, પૂનામા, વઝીરગંજ, 21 ઓગસ્ટે તીન મોહાની દુર્ગા મંદિર, શેખપુરા, 22 ઓગસ્ટે ચંદ્ર બાગ ચોક, મુંગેર, 23 ઓગસ્ટે કુર્સેલા ચોક, બરાડી, કટિહાર, 24 ઓગસ્ટે ખુશકીબાગ, કટિહારથી પૂર્ણિયા, 26 ઓગસ્ટે હુસૈન ચોક, સુપૌલ, 27 ઓગસ્ટે ગંગવાડા મહાવીર સ્થાન, દરભંગા, 28 ઓગસ્ટે રીગા રોડ, સીતામઢી, 29 ઓગસ્ટે હરિવાટિકા ગાંધી ચોક, બેતિયા, 30 ઓગસ્ટે એકમા ચોક, એકમા વિધાનસભા, છાપરા પહોંચશે. 1 સપ્ટેમ્બરે પટનામાં એક વિશાળ રેલી સાથે તેનું સમાપન થશે. આ યાત્રા 20, 28 અને 31 ઓગસ્ટે વિરામ લેશે.

ભાજપ પર 'વોટ ચોરી'નો આરોપ

પવન ખેરાએ કહ્યું કે, આ યાત્રા 'એક વ્યક્તિ-એક વોટ'ના અધિકાર માટે લડવા માટે યોજવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપને છેતરપિંડીથી વોટ જોડવા અને કાપવામાં રંગેહાથ પકડવામાં આવી છે. બિહારમાં SIR પ્રક્રિયામાંથી 'વોટ ચોરી'નું કાવતરું સ્પષ્ટપણે પ્રકાશમાં આવ્યું છે. હવે સામાન્ય નાગરિકો પણ વોટ ચોરીના પુરાવા આપી રહ્યા છે.

પવન ખેરાએ SIR પ્રક્રિયા વિશે શું કહ્યું?

કોંગ્રેસના નેતા પવન ખેરાએ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ) અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો, જેના પછી ચૂંટણી પંચે I.N.D.I.A. બ્લોક અને સામાજિક કાર્યકરોની માંગણીઓ સ્વીકારવી પડી. આ ફક્ત વોટ છીનવવાનું કાવતરું નથી, પરંતુ દલિતો, પછાત, આદિવાસી, વંચિત, શોષિત, પીડિતો અને લઘુવોટીઓની ઓળખ છીનવી લેવાનું કાવતરું છે. જો આજે તેમનો વોટદાનનો અધિકાર છીનવી લેવામાં આવે તો ભવિષ્યમાં તેમને સરકારી યોજનાઓથી પણ વંચિત રાખવાનો ભય છે.

આ પણ વાંચો: યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો?

'ષડયંત્રકારો વોટ ચોરી કરવાનો પ્રયાસ કરતા રહેશે'

પવન ખેરાએ કહ્યું કે, આ યાત્રા ઐતિહાસિક બનવાની છે, કારણ કે આ વોટદાનના અધિકાર માટેની લડાઈ છે, જે સ્વતંત્ર ભારતમાં મુક્તપણે શ્વાસ લેવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે બિહારના લોકોને આ સંઘર્ષમાં સાથ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, કાવતરાખોરો પાછળ હટશે નહીં અને તેઓ વોટ ચોરી અને છીનવી લેવાનો પ્રયાસ કરતા રહેશે. તેથી દરેકે સતર્ક રહેવું પડશે. જ્યારે પણ રાહુલ ગાંધી પ્રવાસ પર ગયા છે, ત્યારે દેશની લોકશાહીએ એક નવો વળાંક લીધો છે.