Get The App

બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી 1 - image


RCB Victory Parade Stampede : કર્ણાટક હાઈકોર્ટે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ મામલે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘નાસભાગના કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે કેએસસીએ વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે એસોસિએશનને તપાસમાં સહયોગ આપવાનો તેમજ મંજૂરી વગર કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર ન જવાનો નિર્દેશ આપ્યો છે.

કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ કોર્ટમાં શું કહ્યું?

સંઘે કોર્ટમાં કહ્યું કે, પોલીસે ભાગદોડની ઘટના પર અકુદરતી મૃત્યુ અહેવાલ (યુડીઆર) નોંધીને તપાસ શરૂ કરી હોવાથી FIR દાખલ કરવી ગેરકાયદેસર છે. જ્યારે સરકારે પોતે ભાગદોડને અણધાર્યો અકસ્માત ગણાવ્યું હતો, ત્યારે સમિતિ સામે FIR નોંધવી એ પોલીસ તરફથી ન્યાયની ગંભીર નિષ્ફળતા છે. જ્યારે પોલીસ અધિકારીઓના સસ્પેન્શનનો આદેશ પોલીસ વિભાગની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે, ત્યારે પોલીસ તેમને હેરાન કરી શકતી નથી.

સંઘે કોર્ટને કરેલી અરજીમાં શું કહ્યું?

વાસ્તવમાં નાસભાગની ઘટના બાદ અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ની વહિવટી સમિતિનું નામ આવતા સમિતિએ હાઈકોર્ટમાં અરજી કરી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવાયું છે કે, ‘નાસભાગની ઘટનાના કેસમાં પહેલેથી જ યુડીઆર દાખલ કરાઈ છે અને હવે આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જે ગેરકાયદે છે, કારણ કે એક જ કેસમાં બે પ્રકારની તપાસ કરવી પડશે. હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો અરજી નોંધી લીધી છે અને તેની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન બીજી એફઆઈઆર નોંધવા અને તપાસ કરવાનો કોઈ અવકાશ નથી.

‘ગેટની જવાબદારી ફ્રેન્ચાઈઝી-પોલીસ અધિકારીઓની હતી’

અરજીમાં એમ પણ કહેવાયું છે કે, ‘ઘટના બાદ રાજ્ય સરકારે વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જે અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે. આકસ્મિક અને અજાણતાં ઘટના બની છે. જોકે અરજદારને આરોપી બનાવી FIR દાખલ કરવાથી કાયદાનો દુરુપયોગ થશે. આરસીબી ટીમના ખેલાડીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ વિધાન સૌધામાં યોજાવાનો હતો અને તેમાં મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રી અને અધિકારીઓ પણ હતા. ત્યારબાદ ખેલાડીઓ વિધાન સૌધાથી સ્ટેડિયમ જઈ રહ્યા હતા, ત્યારે નાસભાગ મચી ગઈ. આ ઉપરાંત સ્ટેડિયમના ગેટની દેખરેખ રાખવાની જવાબદારી આરસીબી ફ્રેન્ચાઈઝી અને પોલીસ અધિકારીઓની હતી.’

મુખ્યમંત્રીએ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો : KSCA

સમિતિએ અરજીમાં કહ્યું છે કે, અમે માત્ર ચિન્નાસ્વામી સ્ટેડિયમ ભાડે આપીએ છીએ, અમે કોઈપણ રીતે દર્શકો કે પ્રશંસકોનું નિયંત્રણ કરતા નથી, તેથી અમો અરજદાર પાસે ઘટનાના કારણો અંગે કોઈ પુરાવા નથી. પોલીસે દબાણમાં આવી અરજદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જે સંપૂર્ણ ગેરકાયદે છે. મુખ્યમંત્રીએ કેએસસીએ વિરુદ્ધ કેસ દાખલ કરવાનો અને અધિકારીઓને ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ અધિકારીએ નિર્ણય લેવો જોઈએ કે, અરજદારની ધરપકડ કરવી જોઈએ કે નહીં. મુખ્યમંત્રીને આવો નિર્દેશ જારી કરવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો : પાકિસ્તાને મંદિર-મસ્જિદ પર હુમલો કર્યો, ઓપરેશન સિંદૂરનું નામ સાંભળતા જ ભારતની શક્તિ યાદ આવશે: PM મોદી

KSCA પોતાની વિરુદ્ધ થયેલી FIR કોર્ટમાં રદ કરવાની માંગ કરી

KSCA કોર્ટમાં કરેલી અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ‘જોકે મુખ્યમંત્રીએ એક નિર્દેશ જારી કર્યો છે, તેથી અધિકારીઓએ તેનું પાલન કરવું પડશે. આનાથી અરજદારનું અપમાન થશે, જે સમાજ માટે યોગ્ય નથી. તેથી એફઆઈઆર અને આ મામલે સંબંધીત આગળની કાર્યવાહીને રદ કરવી જોઈએ અને એફઆઈઆરની તપાસ બંધ કરવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-2025માં ચેમ્પિયન બન્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ માટે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં 35 હજાર ક્ષમતા હતી, જોકે સ્ટેડિયમ પાસે ત્રણ લાખ લોકો આવ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 11 લોકોના મોત અને 33 લોકોને ઈજા થઈ હતી.

હાઈકોર્ટ 16 જૂને ફરી કરશે સુનાવણી

હાઈકોર્ટે તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, ‘તેઓ (કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘની વહિવટી સમિતિ) કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર નહીં જઈ શકે. વચગાળાની વ્યવસ્થા હેઠળ, રજિસ્ટ્રીને 16 જૂનના રોજ આ બાબતને ફરીથી સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પૂર્વગ્રહ વિના, પ્રતિવાદીઓને R2, 3, 4 સામે કોઈપણ ઉતાવળમાં પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવે છે. જો તેમની ધરપકડ કરવામાં આવે છે, તો તે તેમના બંધારણીય અધિકારોને અસર કરશે. એટર્ની જનરલ એ દલીલનો વિરોધ કરશે કે કોઈપણ વચગાળાનો આદેશ તપાસ/કમિશન/તપાસને અસર કરશે.

આ પણ વાંચો : કાશ્મીરને ભેટ: એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ, પહાડો વચ્ચે એન્જિનિયરિંગનો ચમત્કાર

Tags :