કાશ્મીરને ભેટ: એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ, પહાડો વચ્ચે એન્જિનિયરિંગનો ચમત્કાર
Chenab Railway Bridge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેઓએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ વડાપ્રધાન કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ, ભારતભરમાંથી કાશ્મીર ખીણને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર મુસાફરીનો સમય ઓછો કરશે. વડાપ્રધાને ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પછી, તેઓ કટરામાં 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ પણ વાંચો: બેંગલુરુ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 3 અન્ય સામે સકંજો
પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે
નદીથી આશરે 359 મીટરની ઊંચાઈ પર બનેલો આ બ્રિજ વાસ્તુકળાની અજાયબી ચિનાબ રેલ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે આર્ચ બ્રિજ છે. તે 1,315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે. જે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનું કહેવાય છે
આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપીય ઝોન-Vમાં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો બનાવવામાં આવ્યો છે. આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનું કહેવાય છે અને તેના પર ટ્રેનો 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં દોડી શકે છે.
ચિનાબ બ્રિજ 8ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે
ચિનાબ બ્રિજ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. તે 40 ટન TNT જેટલી તીવ્રતાના વિસ્ફોટોનો પણ સામનો કરી શકે છે. પુલનો મોટો પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ વધારવાનો રહેશે. પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ ૩ કલાક લાગશે, જેના કારણે વર્તમાન મુસાફરીના સમયમાં 2-3 કલાક ઘટી જશે.
272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટની કિંમત લગભગ રૂ. 43780/- કરોડ
વડાપ્રધાને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો. 272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટ, જેની કિંમત લગભગ રૂ. 43780/- કરોડ છે, તેમાં 36 ટનલ અને 943 પુલનો સમાવેશ થાય છે.
ભૂકંપ ઝોન-Vમાં પણ સ્થિર રહી શકે છે
પીએમ નરેન્દ્ર મોદી ચિનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટેડ અંજી પુલનું ઉદ્ઘાટન કરશે. ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-Vમાં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલા પહોળા પાયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.