India

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી 'રાહત'

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. 1 એપ્રિલ, 2026થી એર ટર્બાઇન ફ્યુલ(ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં 100 ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ATFની કિંમત પ્રતિ કિલોલીટર 2 લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે 1 માર્ચે 96,638 રૂપિયા હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે

Summarized by AI; it may make mistakes. Check important info

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી 'રાહત'
(IMAGE - IANS)

ATF Price Hike 1st April: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. 1 એપ્રિલ, 2026થી એર ટર્બાઇન ફ્યુલ(ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં 100 ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ATFની કિંમત પ્રતિ કિલોલીટર 2 લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે 1 માર્ચે 96,638 રૂપિયા હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે.

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે દરિયાઈ માર્ગ બંધ થતાં ઊર્જા સંકટ ઘેરાયું

આ ભાવવધારા પાછળ મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને તેના કારણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને જવાબદાર માનવામાં આવે છે. વિશ્વના કુલ ઓઇલ વપરાશનો 20થી 25 ટકા હિસ્સો આ દરિયાઈ માર્ગે પસાર થાય છે, જે બંધ થવાથી વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરાયું છે. એરલાઇન્સ કંપનીઓના કુલ સંચાલન ખર્ચમાં 40 ટકા હિસ્સો માત્ર ઇંધણનો હોય છે, તેથી ઇંધણના ભાવ બમણાં થવાથી આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ

સામાન્ય નાગરિકો પર બોજ ઘટાડવા સ્થાનિક સ્તરે મર્યાદિત વધારો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે. જોકે, સ્થાનિક હવાઈ મુસાફરોને મોટી રાહત આપતાં સરકારે જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટ પર એરલાઇન્સ પર માત્ર 25 ટકા જેટલો જ આંશિક ભાવવધારો લાદવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પર વધુ બોજ ન પડે. પરંતુ, આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી કરતાં લોકોએ ATFના પૂરેપૂરા વધેલા ભાવ ચૂકવવા પડશે, જેની સીધી અસર વિદેશી પ્રવાસના બજેટ પર પડશે.