Get The App

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો 1 - image

Assam Land Transaction SOP : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમાએ હિન્દુ, મુસ્લિમ સહિતની જમીન વેંચવા મામલે મોટો નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા મુજબ, આસામ મંત્રીમંડળે વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન વહેંચણી માટમે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરી છે.

વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન સોદાને ગંભીરતાથી ચકાસાશે

નવા નિયમ મુજબ જો કોઈ હિન્દી કોઈ મુસ્લિમને, કોઈ મુસ્લિમ કોઈ હિન્દુને અથવા કોઈ અન્ય ધર્મ જેમ કે ખ્રિસ્તી, બૌદ્ધ અથવા જૈન ધર્મના વ્યક્તિને જમીન વેચશે તો તેને ‘આંતર-ધાર્મિક વ્યવહાર’ માનવામાં આવશે અને તેઓ વચ્ચે થયેલા જમીન સોદાને ગંભીરતાથી ચકાસવામાં આવશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય આંતર-ધાર્મિક જમીન ખરીદ-વેચાણ પર નિયંત્રણ રાખીને રાજ્યની સુરક્ષા અને સામાજિક સંતુલન જાળવવાનો છે. કેબિનેટ બેઠક બાદ સીએમ સરમા (Assam CM Himanta Biswa Sarma)એ પત્રકારોને આ નવી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. 

જાણો જમીન સોદાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજી સૌથી પહેલા અંચલ અધિકારી પાસે જમા કરાવવી પડશે, જે પ્રાથમિક ચકાસણી કરશે. જો સોદો એક જ ધર્મના લોકો વચ્ચે હોય તો કોઈ વધારાની તપાસ જરૂરી નથી. પરંતુ આંતર-ધાર્મિક વ્યવહારના કિસ્સામાં, ફાઇલ ઉપાયુક્ત (DC) પાસે મોકલવામાં આવશે, જે તેને રાજસ્વ વિભાગ અને ત્યારબાદ આસામ પોલીસની વિશેષ શાખા (SB) પાસે મોકલશે. અરજી સૌપ્રથમ અંચલ અધિકારીને સુપરત કરવી પડશે. પ્રારંભિક ચકાસણી બાદ આ પ્રસ્તાવ ઉપાયુક્ત (DC)ને મોકલવામાં આવશે. જો જમીનનો વ્યવહાર એક જ ધર્મના પક્ષકારો વચ્ચે હોય, તો તેમાં કોઈ વિશેષ તપાસની જરૂર નથી. જો આંતર-ધાર્મિક વ્યવહારના કિસ્સામાં ઉપાયુક્ત (DC) ફાઈલને મહેસૂલ વિભાગમાં મોકલશે. ત્યારબાદ, મહેસૂલ વિભાગના એક નોડલ અધિકારી આ ફાઇલને આસામ પોલીસની વિશેષ શાખા (SB)ને મોકલશે.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

જમીન સોદના ચાર મહત્ત્વના મુદ્દા

વિશેષ શાખા જે ચાર મુખ્ય મુદ્દાઓ પર તપાસ કરશે કરશે, તે મુજબ જમીનની માલિકીની કાયદેસરતા અને દસ્તાવેજોની ચકાસણી કરાશે. ખરીદનારના ભંડોળના સ્ત્રોતની તપાસ, જેથી કાળા નાણા અથવા ગેરકાયદેસર વ્યવહારની શક્યતાને નકારી શકાય. જમીન હસ્તાંતરણની સામાજિક વ્યવસ્થા પર સંભવિત અસર પણ તપાસાશે. રાષ્ટ્રીય સુરક્ષા માટેના કોઈપણ સંભવિત જોખમની પણ તપાસ થશે. આ તમામ તપાસ પૂર્ણ થયા બાદ, વિશેષ શાખા પોતાનો અહેવાલ રજૂ કરશે. ત્યારબાદ ઉપાયુક્ત (DC) આ વ્યવહારને મંજૂરી આપવી કે નહીં તેનો અંતિમ નિર્ણય લેશે. જો ઉપાયુક્ત (DC) દ્વારા મંજૂરી મળે, તો જમીન બીજા પક્ષના નામે હસ્તાંતરિત થઈ જશે.

બહારના NGO માટે પણ કડક નિયમો

મુખ્યમંત્રી સરમાએ સ્પષ્ટ કર્યું કે, આસામ બહારના બિન-સરકારી સંગઠનો (NGOs) જો રાજ્યમાં જમીન ખરીદવા માંગતા હોય તો તેમને પણ આ જ કડક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે, ઘણીવાર બહારના NGO જમીન ખરીદીને સંસ્થાઓ સ્થાપે છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જોકે, આસામમાં નોંધાયેલા NGOને આ વધારાની તપાસમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ