Get The App

પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો 1 - image


Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિમાનમાં ભારતની એક દિકરી જે પોતાના સ્વપ્નાઓને ઉડાન આપવા લંડન જઈ રહી હતી, તેનુ પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી પાયલ ખટીક ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન માટે એર ઈન્ડિયાના આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી.

આ પણ વાંચો: સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

પહેલીવાર વિમાનમાં બેઠી હતી પાયલ 

રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી પાયલ ખટીક પહેલીવાર વિમાનમાં બેઠી હતી અને તે લંડન માટે રવાના થઈ હતી. પરંતુ કિસ્મતને કાંઈક બીજુ જ મંજૂર હતું. તમને જણાવી દઈએ કે ગુજરાતના હિંમતનગરમાં તેના માતા-પિતા સાથે રહેતી પાયલ ખટીક ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહી હતી. પાયલ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. પાયલ તેના પરિવાર અને ભારતનું નામ રોશન કરવાના સ્વપ્ન જોતી હતી. પરંતુ આ ગોજારી 12 જૂન તેના સ્વપ્ન વિમાન ક્રેશ સાથે બળીને ખાખ થઈ ગયાં.

આ પણ વાંચો: 'હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું', મોતને થાપ આપનારા યુવકે વર્ણવી ઘટના

રિક્ષા ચલાવીને પિતાએ ભણાવી 

માહિતી પ્રમાણે પાયલના પિતા સુરેશભાઈ ખટીક રિક્ષા ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરતાં હતા. તેમણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની દિકરીને ભણાવી અને સારી નોકરી અપાવી હતી,  તેમણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, જીવનમાં એક દિવસ આવો પણ જોવો પડશે. 


Tags :