India

તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
તાલિબાન સત્તામાં આવ્યા પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પ્રથમ વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચ-સ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે, જે અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનનાં ચાર વર્ષ બાદ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

Afghan Foreign Minister Muttaqi Reaches Delhi: તાલિબાન સત્તામાં આવ્યા પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પ્રથમ વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચ-સ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે, જે અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનનાં ચાર વર્ષ બાદ થઈ રહી છે.

મુત્તાકીના ભારત પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો

મુત્તાકીનો પ્રવાસ ગયા મહિને જ નવી દિલ્હી માટે નિર્ધારિત હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધના કારણે તે રદ્દ કરવો પડ્યો હતો. જોકે, 30 સપ્ટેમ્બરે, UNSCની સમિતિએ મુત્તાકીને અસ્થાયી છૂટ આપી, જેના પગલે તેમને 9 થી 16 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી આવવાની મંજૂરી મળી.

UNSCએ તાલિબાનના તમામ મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે અને તેમને વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની છૂટ મેળવવી પડે છે. મુત્તાકીના આ પ્રવાસથી કાબુલમાં તાલિબાન શાસન સાથે ભારતના સંબંધોને એક નવું પરિમાણ મળવાની આશા છે.

ભારતનો સત્તાવાર દૃષ્ટિકોણ

આ પહેલાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે 15 મેના રોજ મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાન સત્તામાં આવ્યા પછી નવી દિલ્હી અને કાબુલ વચ્ચે આ ઉચ્ચ સ્તરનો સંપર્ક હતો. ભારતે હજી સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને કાબુલમાં ખરેખર સર્વસમાવેશક સરકારની રચના પર ભાર આપી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકામાં બે જગ્યાએ ગોળીબારમાં 4 લોકોના મોત, હુમલાખોરે પછી ખુદને ગોળી મારી કરી આત્મહત્યા

ભારત સરકાર એ વાત પર પણ ભાર મૂકતી રહી છે કે અફઘાન જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થવો જોઈએ નહીં. જાન્યુઆરીમાં, તાલિબાન શાસને વિદેશ સચિવ વિક્રમ મિસરી અને મુત્તાકી વચ્ચેની વાતચીત બાદ ભારતને એક મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક અને આર્થિક શક્તિ ગણાવ્યું હતું.

ભારત અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને ઘઉં અને દવાઓ સહિત માનવીય સહાયની ઘણી ખેપ મોકલી ચૂક્યું છે. ભારત દેશમાં વધી રહેલા માનવીય સંકટનો સામનો કરવા માટે અફઘાનિસ્તાનને કોઈપણ અવરોધ વિના સહાય પૂરી પાડવા પર ભાર આપી રહ્યું છે.