પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- 'હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું'; ભત્રીજાનો ચોંકાવનારો દાવો
Panchkula Suicide Case: હરિયાણાના પંચકૂલા સેક્ટર 27માં સોમવારે રાત્રે અંદાજિત 10:15 વાગ્યે સાત લોકોએ ઝેર ખાઈને આપઘાત કર્યાની ઘટનામાં સંપૂર્ણ સત્ય હજુ સુધી બહાર નથી આવ્યું. આ મામલે હત્યા અને આપઘાત બંને એન્ગલથી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને ઘટના સ્થળેથી બે સુસાઈડ નોટ મળી છે. પ્રવીણ મિત્તલના સસરા રાકેશ ગુપ્તાનું કહેવું છે કે, કરોડોનું દેવું થઈ જતા પ્રવીણ ચિંતામાં હતો. તેના પર ફાઇનાન્સરોનું પ્રેશર પણ હતું, એટલા માટે પ્રવીણ અને તેના પરિવાર આપઘાત કરી લીધો. ઝેર ખાઈને આપઘાત કરનારાઓમાં પ્રવીણ મિત્તલ (42), તેમના પત્ની રીના (38), માતા વિમલા (71), પિતા દેશરાજ (72), જુડબા દીકરીઓ હિમશિખા અને ડલિશા (11) અને દીકરો હાર્દિક (14) સામેલ હતા.
કારમાં 2 પેજની સુસાઈડ નોટ મળી
પોલીસે તપાસ કરી તો કારમાં 2 પેજની સુસાઈડ નોટ મળી. જેમાં લખ્યું હતું કે, 'હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું. મારા કારણે આ બધુ થયું છે. મારા સસરાને કંઈ ના કહેતા. અંતિમ સંસ્કાર સહિત જેટલી પણ વિધિ હશે તે ફઈનો દીકરો કરશે.'
ત્યારે, હેન્ડ રાઇટિંગની તપાસ માટે પોલીસે ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટને ફોરેન્સિક લેબમાં મોકલી છે. પોલીસે તે ફોન કોલની પણ તપાસ શરૂ કરી છે, જે પ્રવીણ મિત્તલને ફાઇનાન્સરો તરફથી કરાઈ રહ્યા હતા. સવાલ એ થાય છે કે સાંજે અંદાજિત 6:40 વાગ્યે જ પરિવાર જ્યારે સેક્ટર 27માં પહોંચ્યો હતો, તો તેના પહેલા જ તો ક્યાં ઝેર નહોતું ખાઈ લીધુંને.
25 દિવસ પહેલા ફરી પંચકૂલ શિફ્ટ થયો પરિવાર
વર્ષ 2007-2008માં પ્રવીણ મિત્તલનો પરિવાર દેહરાદૂનથી પંચકૂલા શિફ્ટ થયા હતા. આ પહેલા પ્રવીણ મિત્તલે બેંકથી લોન લઈને સ્ક્રેપની ફેક્ટરીનો બિઝનેસ કર્યો, જેમાં તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. બેન્ક કરપ્ટ થયા બાદ પ્રવીણે દેહરાદૂનમાં ફાઇનાન્સરો પાસેથી દેવું લઈને ટૂર એન્ડ ટ્રાવેલનો બિઝનેસ કર્યો પરંતુ તેઓ પણ ન ચાલ્યા. ત્યારબાદ પ્રવીણ ફરી પિંઝોર શિફ્ટ થઈ ગયા, પરંતુ ફાઇનાન્સરોના પ્રેશર બાદ પ્રવીણ પંચકૂલાથી સકેતડીમાં 25 દિવસ પહેલા ભાડા પર મકાન લઈને પરિવાર સાથે રહેવા આવી ગયા હતા. ત્યાં પણ ફાઇનાન્સરો અને લેણદારોએ પ્રેશર કરવાનું શરૂ કરી દીધું. ત્યાં સુધી કે પરિવારને ડરાવ્યો અને ધમકાવવામાં આવી રહ્યો હતો. સંપૂર્ણ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી.
એક કરોડની લીધી હતી લોન: પ્રવીણના સસરા
પ્રવીણના સસરા રાકેશ ગુપ્તાએ જણાવ્યું છે, પ્રવીણ હિસારના બરવાલાના રહેવાસી છે. તેમણે બિઝનેસ માટે અંદાજિત 10 વર્ષ પહેલા એક કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યારબાદ તેઓ પરિવાર સાથે દેહરાદૂન ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ શરૂ કર્યું, પરંતુ તેમાં નુકસાન થઈ ગયું. પ્રવીણ અને તેનો પરિવાર 10 વર્ષથી મારા સંપર્કમાં ન હતો.
ભત્રીજાએ ઉઠાવ્યા સવાલ
પ્રવીણના ભત્રીજા અંકિત મિત્તલે કહ્યું કે, વર્ષ 2007માં કાકા પર બેંકનું દેવું હતું, તેમણે આ પ્રકારનો નિર્ણય ન લીધો. હવે તો દેવાને લઈને સુસાઈડનો સવાલ જ નથી થતો.
સુસાઇડ નોટમાં કહ્યું- ફઈનો દીકરો કરશે અંતિમ સંસ્કાર
અંકિતે જણાવ્યું કે, તેમની પાસે રાત્રો ફોન આવ્યો હતો, ત્યારબાદ તેઓ સવારે 10 વાગ્યે પંચકૂલા પહોંચી ગયા હતા. અંકિતનું કહેવું છે કે તેને પોલીસનો ફોન આવ્યો હતો કે સુસાઇડ નોટમાં પ્રવીણે લખ્યું કે, મારા પરિવારના તમામ સભ્યોના મોત બાદ અંતિમ સંસ્કાર તેમના ફઈના દીકરા સંદીપ અગ્રવાલ કરશે.
30 એપ્રિલે દિલ્હી ગયો હતો આખો પરિવાર
અંકિતે જણાવ્યું કે, 30 એપ્રિલે તેમના કાકા આખા પરિવાર સાથે ભાઈના લગ્નમાં સામેલ થવા માટે દિલ્હી આવ્યા હતા. આખો પરિવાર ખુશ હતો. કાકાએ ડાન્સ પણ કર્યો. 10 દિવસ પહેલા પણ કાકા સાથે વાત કરી હતી. તેમને જોઈને એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે તેઓ આટલું મોટું પગલું ભરી શકે છે.
પ્રવીણ પર 20 કરોડનું દેવું હતું: ફઈનો દીકરો સંદીપ
ફઈના દીકરા સંદીપે કહ્યું કે, 'પ્રવીણ પર 20 કરોડનું દેવું હતું. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ પહેલા તેમની હિસારમાં સ્ક્રેપ ફેક્ટરી પણ દેવું ન ચૂકવી શકવાના કારણે બેંકે જપ્ત કરી લીધી હતી. મંગળવાર સાંજે તમામના પોસ્ટમોર્ટમ બાદ મનીમાજરામાં અંતિમ સંસ્કાર કરી દેવાયા.'
શું કહે છે પોલીસ?
પંચકૂલા પોલીસના ડીસીપી અમિત દહિયાનું કહેવું છે કે, બે સુસાઈડ નોટ મળી છે. એક કારના ડેશબોર્ડ પર અને બીજી બેગની અંદર મળી છે. તેની હેન્ડરાઇટિંગ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે આ સુસાઈડ નોટ કોણે લખી. નોટમાં પ્રવીણ મિત્તલની આર્થિક સ્થિતિ બરાબર ન હોવાની વાત મળી છે. સીસીટીવ ફૂટેજના અનુસાર, ગાડી સાંજે અંદાજિત 6:40 વાગ્યે પર સેક્ટર 27ના મકાન 1204ની પાછળ ખાલી પ્લોટમાં ઉભી હતી.
અગાઉ દિલ્હીના બુરાડીમાં 11 લોકોએ આત્મહત્યા કરી હતી
આ અગાઉ 1 જુલાઈ, 2018 ના રોજ, દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક પરિવારના 11 સભ્યોની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. ઘરમાં 10 લોકોના મૃતદેહ લટકતા મળી આવ્યા હતા, જ્યારે પરિવારના સૌથી મોટા સભ્ય નારાયણી દેવીનો મૃતદેહ બીજા રૂમમાંથી મળી આવ્યો હતો.