Gujarat
રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો
By GS Team
25 Feb 20201 min read
This article was originally published on 25 Feb 2020

રાજપીપળા તા.25 ફેબ્રુઆરી 2020 મંગળવાર
નર્મદા જિલ્લામાં ખેર ના લાકડા મોટી માત્રામાં થતા હોવાથી ખેરના લાકડું એ કાથ્થા બનાવટમાં વપરાય છે .માટે ખેરના લાકડાની આ વિસ્તારમાં તસ્કરી વધી રહી છે .
નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે આર.એફ. ઓ .ને મળેલ બાતમીને પગલે રાઉન્ડ ફોરેસ્ટર સાથે ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધી અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.




