Gujarat

રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

By GS Team
25 Feb 20201 min read
This article was originally published on 25 Feb 2020
રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

રાજપીપળા તા.25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

નર્મદા જિલ્લામાં ખેર ના લાકડા મોટી માત્રામાં થતા હોવાથી  ખેરના લાકડું એ કાથ્થા બનાવટમાં વપરાય છે .માટે ખેરના લાકડાની આ વિસ્તારમાં  તસ્કરી વધી રહી છે .

નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે આર.એફ. ઓ .ને મળેલ બાતમીને  પગલે  રાઉન્ડ ફોરેસ્ટર  સાથે  ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધી  અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.