શીના બોરા હત્યા કેસમાં સીબીઆઈએ વધુ તપાસ બંધ કર્યાની કોર્ટમાં માહિતી
Updated: Aug 18th, 2021
કોર્ટે આ બાબતની નોંધ કરીઃ આરોપી ઈન્દ્રાણીએ લીગલ ટીમ બદલાવી
મુંબઈ : શીના બોરા હત્યા કેસમાં છ વર્ષ બાદ સીબીઆઈએ વિશેષ કોર્ટને વિધિવત જાણ કરી છે કે તેઓ અ કેસમાં વધુ તપાસ કરશે નહીં. ૨૦૧૨માં બહાર આવેલી કથિત હ ત્યાની ઘટનામાં સીબીઆઈએ તપાસ બંધ કરવામાં અવાતી હોવાની જાણકારી આપીહોવાનું વિશેષ કોર્ટે નોંધ્યું હતું.
કેસના આરોપી ઈન્દ્રાણી મુખરજી અનપે પૂર્વ પતિ પીટર મુખરજી અનપે સંજીવ ખન્ના સામે પુરક આરોપનામું નોંધાવકી વખતે તપાસ ખુલી રાખવામાં આવીહતી.
આરોપી ડ્રાઈવર શ્યામવર રાય તાજનો સાક્ષી બનીને સરકારી વતી સાક્ષીદાર બન્યો હતો. મુખરજીએ પોતાના નવા વકિલ મારફત પત્ર મોકલાવ્યો હતો કે તે અગાઉની બચાવ ટીમને છૂટી કરીરહી છે. આ વકિલે ૨૦૧૫૬માં તેની ધરપકડ થઈ ત્યારે નિયુક્ત કરાયા હતા. બે એડવોકેટે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી જેમાં ૨૦૧૭થી ૭૦ સાક્ષીદારોને તપાસવામાં આવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી ૩૧ ઓગસ્ટે થશે.