સાસુના મરણ પ્રસંગે ગયા અને ઘરમાંથી પોણા બે લાખની ચોરી

Image Source: Freepik
વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર
સાસુના મરણ પ્રસંગે ગયેલા રીક્ષા ડ્રાઇવરના ઘરના દરવાજા તોડી ચોર ટોળકી 1.74 ની મતા લઈ ગઈ હતી.
નવાપુરા ખાટકીવાડમાં રહેતા જાકીર હુસેન અબ્દુલ કરીમ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત સાતમી તારીખે બપોરે 1:00 વાગે તેઓ પત્ની સાયરાબાનું તથા બે સંતાનો સાથે ખેડા જિલ્લાના મહુધા ગામે સાસુના મરણ પ્રસંગે ગયા હતા બીજા દિવસે તેમના દીકરાની પત્ની પણ મહુધા આવી હતી અને નવમી તારીખે સાંજે તેઓ ઘરે પરત આવ્યા હતા તે દરમિયાન ઘરની ઉપર જવાની સીડી માટે કોઈ ચોર ઉપરના રૂમે જઈ દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યો હતો અને ઘરમાંથી રોકડા 8000 તથા સોના ચાંદીના દાગીના મળી 1. 74 લાખની મતા લઈ ગયા હતા