For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમારા બાળકમાં આ લક્ષણો તો નથી ને! હોઈ શકે છે એન્ગર ઈસ્યુની સમસ્યા

બાળકના જિદ્દી સ્વભાવથી ઘણા માતા-પિતા પરેશાન થઈ જતા હોય છે

Updated: Apr 5th, 2023

Article Content Image
Image : Pixabay

અમદાવાદ, 05 એપ્રિલ 2023, બુધવાર

બાળકના જિદ્દી સ્વભાવ અને વારંવાર વસ્તુઓ ફેંકવા અને તોડફોડના કારણે ઘણા માતા-પિતા પરેશાન થઈ જતા હોય છે. બાળકના આ વ્યવહારથી ડરીને માતા-પિતા તેના વ્યવહાર મુજબ જ કામ કરવા લાગે છે, જેથી ઘરનું વાતાવરણ બગડે અને તે શાંત રહે. જો કે કેટલાક માતા-પિતા બાળકોના ગુસ્સાને શાંત કરવા માટે તેને મારવાનું શરૂ કરે છે. પરંતુ આ બંને રીતો ખોટી છે. બાળકના સ્વભાવ અને તે પ્રમાણે માતા-પિતાના બાળક સાથે વ્યવહારની કેટલીક રીત છે.

બાળકમાં ગુસ્સા કે ઉગ્ર સ્વભાવના લક્ષણો

1. જો બાળક તેની દરેક ભૂલ માટે બીજાને દોષ આપે છે, તો તેને ગુસ્સાની સમસ્યા હોઈ શકે છે. જો બાળક કોઈ વાત પર ગુસ્સામાં વસ્તુઓ તોડવા લાગે તો તે હતાશ અને ગુસ્સામાં હોઈ શકે છે.

2. જો તમે તમારા બાળક સાથે સારા સ્વરમાં વાત કરવાને બદલે તેની સાથે ગુસ્સામાં વાત કરો છો, તો તે તમારી વાત સાંભળવાનું બંધ કરી શકે છે. તમારા શબ્દોનો અનાદર કરવા લાગશે.

3. જો તમારું બાળક ગુસ્સાને શાંત કરવા માટે ઘણી કોશિશ કરે છે, તો સમજી લો કે તેના ગુસ્સાની સમસ્યા ગંભીર છે. જો બાળક અન્ય બાળકો સાથે લડે છે અને તેને શાંત કરવું મુશ્કેલ હોય છે, તો આ પણ ગુસ્સાના લક્ષણ છે.

4. જો તમારું બાળક કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાનું પસંદ નથી કરતું, તો સમજી લો કે તેનામાં કોઈ સ્વીકૃતિ નથી. આ પણ ગુસ્સાના સંકેતો છે. 

ગુસ્સાવાળા બાળકને શાંત કેવી રીતે કરવું

જો તમારા બાળકમાં આમાંથી કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તેને મારવાને બદલે તેની સાથે વાત કરવી જોઈએ. તે શા માટે આવું કરી રહ્યો છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તે કોઈ પ્રકારના તણાવ કે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હોઈ શકે છે. આ રીતે તમે બાળકના સ્વભાવમાં ફેરફાર લાવી શકો છો.

Gujarat