સુંદર પિચાઈએ સંત બની ગયેલા IIT બેચમેટને કહ્યું કે, તુ યંગ દેખાય છે... જુઓ પછી શું જવાબ મળ્યો
Google CEO Sunder Pichai And ISKCON Monk Gautanga Das: આજના ઝડપી અને ડિજિટલ યુગમાં લોકો યુવાન અને તણાવમુક્ત રહેવા વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. એવામાં એક આઈઆઈટી સ્નાતકે પોતાના યૌવનનું રહસ્ય ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે શેર કર્યું છે. ઈસ્કોનના પ્રચલિત સંન્યાસી ગૌરાંગ દાસે લંડનમાં યોજાયેલી ઈન્ડિયા ગ્લોબલ ફોરમ 2025માં પોતાની અને સુંદર પિચાઈ વચ્ચેની રસપ્રદ વાત રજૂ કરી હતી. જેના માધ્યમથી તેમણે તણાવ, આધ્યાત્મિક્તા અને ડિજિટલ વ્યસન વિશે વ્યાખ્યાન આપ્યું હતું.
ગૌરાંગ દાસ અને પિચાઈ સહપાઠી હતાં
ગૌરાંગ દાસ અને સુંદર પિચાઈ આઈઆઈટી બોમ્બેમાં એક સાથે અભ્યાસ કરતાં હતાં. બંને અલગ અલગ બ્રાન્ચમાં ભણતાં હતાં. તેમનો કોલેજમાં ક્યારેય ભેટો થયો ન હતો. પરંતુ થોડા વર્ષ પહેલાં જ પિચાઈ સંન્યાસી ગૌરાંગ દાસને મળ્યા હતાં. પિચાઈ દાસની યુવાન દેખાવ જોઈને પ્રભાવિત થઈ ગયા હતા.
આ કિસ્સો યાદ કરતા દાસે જણાવ્યું કે, અમે બંને અલગ-અલગ બ્રાન્ચમાં એક સાથે જ આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કરતાં હતાં. પરંતુ અમે ક્યારેય મળ્યા ન હતાં. થોડા વર્ષ પહેલાં જ અમે મળ્યા અને તે સમયે 53 વર્ષીય પિચાઈએ મને સવાલ કર્યો કે, તમે મારા કરતાં વધુ યુવાન દેખાઓ છો. તેનું કારણ શું છે? જેનો જવાબ આપતાં મેં કહ્યું કે, તમે ગૂગલ સાથે ડીલ કરો છો, જે તણાવનું સર્જન કરે છે. જ્યારે હું ભગવાન સાથે ડીલ કરુ છું, જે તણાવ દૂર કરે છે.
આ પણ વાંચોઃ ટુ વ્હિલર ચાલકોએ પણ ભરવો પડશે ટોલ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
સોશિયલ મીડિયાની કટોકટી પર ચિંતા
પિચાઈ અને દાસ વચ્ચેની આ વાત ઝડપથી પ્રેક્ષકોમાં ગૂંજી ઉઠી હતી. તેમણે ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર વિશે વ્યાપક સ્પષ્ટતા આપી હતી. દાસે વધુ પડતા સ્ક્રીન સમય અને સોશિયલ મીડિયાના ઉપયોગથી વધતી જતી માનસિક કટોકટી વિશે ચેતવણી આપી હતી. ચિંતાજનક આંકડા ટાંકીને તેમણે કહ્યું કે, વિશ્વભરમાં 23 કરોડ લોકો સોશિયલ મીડિયાના વ્યસની છે. તેમણે વધુમાં દાવો કર્યો કે એકલા ભારતમાં, 70% યુવક દરરોજ સાત કલાક ઓનલાઈન સમય વિતાવે છે અને વિશ્વભરમાં સાતમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે.
ગૌરાંગ દાસ કોણ છે?
IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૌરાંગ દાસ એક આધ્યાત્મિક નેતા, પર્યાવરણવાદી અને શિક્ષક છે. હાલમાં ISKCONના ગવર્નિંગ બોડી કમિશનના સભ્ય, તેઓ રાધાનાથ સ્વામી દ્વારા સ્થાપિત ટકાઉ જીવનશૈલીના મોડેલ, ગોવર્ધન ઇકોવિલેજ (GEV) ના ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેમના નેતૃત્વ હેઠળ, GEV ને 2017 માં UN વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ મળ્યો હતો. ગૌરાંગ દાસ શિક્ષણ અને લીડરશીપ ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ગોવર્ધન સ્કૂલ ઓફ પબ્લિક લીડરશીપના બોર્ડ મેમ્બર છે, જે સિવિલ સર્વિસીસ માટે ઉમેદવારોને તૈયાર કરે છે, અને તેઓ ભક્તિવેદાંત રિસર્ચ સેન્ટરના હેડ છે, જે પ્રાચીન વૈદિક હસ્તપ્રતોનું જતન કરે છે અને ફિલસૂફીમાં અનુસ્નાતક કાર્યક્રમો પણ પ્રદાન કરે છે.