ટુ વ્હિલર ચાલકો પાસે ટોલ વસૂલવાની વાત ખોટી, ગડકરીએ ટ્વિટ કરી આપી માહિતી
Toll Tax AI Image |
Two Wheelers Toll Tax News : હાલમાં જ એવા અહેવાલ વહેતા થયા હતા કે, કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઇવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરાશે એવી વાત હતી. જો કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વિટ કરીને આ વાતનું ખંડન કર્યું છે.
આ પહેલા અહેવાલ હતા કે, ટુ વ્હિલર ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાનું સરકારનું પગલું તમામ નાના-મોટા વાહનોને FASTag દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે. હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીંવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTag ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી.
ઉલ્લેખનીય છે કે એવા દાવા કરાયા હતા કે કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઇવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. જો કે, આ મુદ્દે સરકારે સત્તાવાર જાહેરાત નહોતી કરી. પછીથી કેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરીએ આ અહેવાલોને ફગાવતા ખોટા સાબિત કર્યા હતા.