Get The App

કાળી દ્રાક્ષના સેવનથી અલ્ઝાઈમર સામે રક્ષણ મળી શકે, હીમોગ્લોબિન પણ વધશે!

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
કાળી દ્રાક્ષના સેવનથી અલ્ઝાઈમર સામે રક્ષણ મળી શકે, હીમોગ્લોબિન પણ વધશે! 1 - image


Black Ggrapes: કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન અને ખનિજો જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. આમાં ભરપૂર માત્રામાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને વિટામિન કે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો લાભ થાય છે. શું તેનાથી  શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ સુધારવામાં મદદ કરે છે?

આ પણ વાંચો : અઠવાડિયામાં કેટલી વાર ફેસ પેક લગાવવો જોઈએ? જાણો સાચી રીત

એન્ટીઑકિસડન્ટ ગુણો કેન્સરના કોષોને રોકે છે

કાળી દ્રાક્ષમાં રેસવેરાટ્રોલ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણો કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ થાય છે. 

આ પણ વાંચો : રાત્રે ભૂલથી પણ ન ખાતા આ ફળો, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન!

ફાઇબર કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

કાળી દ્રાક્ષમાં રહેલા વિટામિન સી અને અન્ય પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું ફાઇબર કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કાળી દ્રાક્ષમાં રહેલું રેસવેરાટ્રોલ મગજની કાર્યક્ષમતા વધારે છે અને અલ્ઝાઇમર જેવા રોગોને અટકાવી શકે છે.

Tags :