Get The App

કચ્છની બજારમાં કેસર કેરી હવે મળશે ઉતારો ઓછી હોવાથી ભાવમાં ઉછાળો

- કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ

- એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે એકથી ત્રણ ટન જ માલ ઉતર્યો

Updated: Jun 3rd, 2022

GS TEAM

Google News
Google News
કચ્છની બજારમાં કેસર કેરી હવે મળશે ઉતારો ઓછી હોવાથી ભાવમાં ઉછાળો 1 - image

ભુજ, ગુરૃવાર

ગુજરાતમાં તાલાલા ગીરની કેસર કેરી, વલસાડની હાફુસ કેરી બાદ હવે કચ્છની કેસર કેરીનું બજારમાં આગમન થશે. આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાથી કેરીનો ભાવ ઉંચો રહેશે. કચ્છી કેરી તેના સ્વાદ માટે વિખ્યાત હોવાથી તેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. વર્ષે ૧.૧૭ લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો બાકી નાથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે જેાથી ટૂંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમાધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ધરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવકમાં ઘટાડો થશે. તો સાથે જ તેના ભાવ વાધતા લોકોને બોજો પણ પડશે. આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પુરતા વાવેતર છતાય ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક ૧૦થી ૩૦ ટકા જેટલો જ રહ્યો છે. પણ આ વર્ષે સરેરાશ ૨૦ ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વાધારો જોવા મળશે.

ઉનાળો શરૃ થાય એટલે લોકો ફળોના રાજાનો સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફુસના ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના રસિયાઓ તો ઉનાળાના અંત સુાધી સારી ગુણવતાની કેરીની રાહ જોતા હોય છે. આ વર્ષે હવે કચ્છમાં ઉનાળો પુરો થવાને હવે એક મહિનો પણ બાકી નાથી ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. જેાથી, ટૂંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમાધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ધરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ  વાધતા  લોકોને આિાર્થક બોજો પણ પડશે.

કચ્છી કેસર કેરી તેના વિશેષ આકાર અને સ્વાદના કારણે જગ વિખ્યાત બની છે જેાથી તેને જી.આઈ. ટેગ પણ પ્રાપ્ત થયુ છે. વિશ્વના અનેક ખુણામાં વસતા લોકો ઉનાળો શરૃ થતા જ કચ્છી કેસરની રાહ જોતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પુરતા વાવેતર છતાય ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેસર કેરીના ખેડૂતોનો પાક ૧૦થી ૩૦ ટકા જેટલો જ રહ્યો છે. જેાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદનમાં સામે આ વર્ષે એકાથી ત્રણ ટન જ માલ ઉતર્યો છે.

ઉત્પાદનમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ જણાવતા ખેડૂતો કહે છે કે આ વર્ષે વાતાવરણમાં વિષમતા હોવાના કારણે કેરીનો પાક ઓછો થયો છે. શરૃઆતમાં વાતાવરણ પાકને માફક રહેતા કેરીને સારી માત્રામાં મોર આવ્યા હતા. પણ તે બાદ તાપમાનમાં અતિશય વાધારાના કારણે અને લુ ચાલતી હોવાના કારણે પાક પર ઘણી અસરો પડી હતી. તો લુ બાદ છેલ્લા એક અઠવાડીયાથી ભારે પવન ફુંકાતા પણ ઘણો પાક સમય પહેલા જ ઝાડ પરાથી પડી ગયો હતો.

છેલ્લા બે દાયકામાં કચ્છની કેસર કેરીના વાવેતરમાં માટે જ મબલખ વાધારો થયો છે. હાલની વાત કરીએ તો કચ્છના દસ તાલુકામાં કુલ ૧૦,૬૦૦ હેકટરમાં કેસર કેરીનું વાવેતર થયુ છે. જેમાંથી દર વર્ષે સરેરાશ ૧.૧૭ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે સરેરાશ ૨૦ ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વાધારો જોવા મળશે. આમ, ઉત્પાદન ઓછુ થવાથી ખેડૂતોને પણ ફટકો પડશે.

Tags :