mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરમાં ચેક પરત ફરવાનાં કેસમા આરોપીને છ માસની સજાનો હુકમ

Updated: Nov 11th, 2023

જામનગરમાં ચેક પરત ફરવાનાં કેસમા આરોપીને છ માસની સજાનો હુકમ 1 - image


Image Source: Freepik

જામનગર તા. 11 નવેમ્બર 2023, શનિવાર

જામનગરમાં રૂ 70 હજારની રકમનો ચેક પરત ફરવાના કેસમા આરોપી ને છ માસ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.

જામનગર નાં મનીષ દિનેશભાઈ નંદા પાસે થી તેમાં મિત્ર એવા હર્ષ બ્રાસ એન્જિનિયરિંગ વકર્સનાં પ્રોપ્રાઈટર મુળજીભાઈ બગડા એ રૂ. 70 હજાર ની રકમ ઉછીની મેળવી હતી. જેની પરત ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક બેંક માંથી પરત ફરતા અદાલત મા ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે નો કેસ ચાલી જતાં આરોપી મુળજીભાઈ બગડા ને અદાલતે તક્સિરવાન ઠરાવી છ માસ ની સજા અને ચેક ની રકમ મુજબ નાં દંડ અને રકમ ભરપાઈ કરવા મા ન આવે તો વધુ એક માસ ની સજા નો હુકમ કર્યો હતો.

આ કેસમા ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી નયન એચ કનખરા અને કપિલ એન વશિયર રોકાયા હતા.

Gujarat