જામનગર : કાલાવડના નિકાવા ગામના યુવાનને ચાલુ બાઈકે હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
Updated: May 27th, 2024
image : Freepik
Heart Attack Death in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડના નિકાવા ગામમાં રહેતા કિશોરભાઈ નરશીભાઈ મુછડીયા નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના મોટરસાયકલ પર નિકાવા થી કાલાવડ જતી વખતે રાજસ્થળી ગામના પાટીયા પાસે એકાએક ચાલુ બાઈકે હાર્ટએટેક આવી ગયો હતો. તેથી તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવવાથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રવીણભાઈ નરશીભાઈ મુછડીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat