World

ગાઝામાં ભૂખના કારણે બાળકોની હાલત એટલી ખરાબ કે હવે રડી પણ નથી શકતા, ઈઝરાયલે કહ્યું- બનાવટી છે રિપોર્ટ

By GS TEAM
28 Aug 20252 mins read
TukuTouch Logo
'સેવ ધ ચિલ્ડ્રન' NGOના પ્રમુખે બુધવારે ગાઝા પટ્ટીમાં ભૂખમરાથી પીડાઈ રહેલા બાળકોની ભયાનક સ્થિતિનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે આ બાળકો એટલા નબળા પડી ગયા છે કે તેઓ રડી પણ શકતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝામાં ભૂખના કારણે બાળકોની હાલત એટલી ખરાબ કે હવે રડી પણ નથી શકતા, ઈઝરાયલે કહ્યું- બનાવટી છે રિપોર્ટ

Starving Gaza children too weak to cry: 'સેવ ધ ચિલ્ડ્રન' NGOના પ્રમુખે બુધવારે ગાઝા પટ્ટીમાં ભૂખમરાથી પીડાઈ રહેલા બાળકોની ભયાનક સ્થિતિનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે આ બાળકો એટલા નબળા પડી ગયા છે કે તેઓ રડી પણ શકતા નથી.

ભૂખમરાના કારણે બાળકો એટલા નબળા પડી ગયા છે કે રડી પણ શકતા નથી

ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં, આંતરરાષ્ટ્રીય ચેરિટીના પ્રમુખ ઇન્ગર એશિંગે જણાવ્યું કે ભૂખમરો, જેને ગયા અઠવાડિયે UN દ્વારા ગાઝામાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે, તે માત્ર એક ટેકનિકલ શબ્દ નથી. પણ જ્યારે પૂરતો ખોરાક ન મળે, ત્યારે બાળકો ગંભીર રીતે કુપોષિત થઈ જાય છે અને પછી તેઓ ધીમે ધીમે અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે. સાદા શબ્દોમાં, આ જ ભૂખમરો છે.'

ગાઝામાં ભૂખમરાની ભયાનકતા

એશિંગે સમજાવ્યું કે ભૂખથી બાળકોનું મૃત્યુ કેવી રીતે થાય છે. શરીર પહેલા જીવતા રહેવા માટે પોતાની ચરબીનો ઉપયોગ કરે છે અને જ્યારે તે ખતમ થઈ જાય છે, ત્યારે તે સ્નાયુઓ અને મહત્ત્વપૂર્ણ અંગોને પણ વાપરી નાખે છે. તેમ છતાં, અમારી ક્લિનિક્સમાં શાંતિ છે, કારણ કે હવે બાળકોમાં બોલવાની કે પીડાથી રડવાની પણ તાકાત નથી. તેઓ ત્યાં નિસ્તેજ પડ્યા રહે છે, જાણે તેમનું શરીર ધીમે ધીમે ઓગળી રહ્યું હોય.' 

એશિંગે વિશ્વ નેતાઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી

એશિંગે ચેતવણી આપી હતી કે સહાય જૂથોએ મહિનાઓ પહેલાં જ ચેતવણી આપી દીધી હતી, કારણ કે ઑક્ટોબર 2023માં હમાસના હુમલા પછી શરુ થયેલા લગભગ બે વર્ષના યુદ્ધ દરમિયાન ઈઝરાયલે ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ રોકી રાખી હતી. તેમણે વિશ્વના નેતાઓને આ મામલે પગલાં ભરવા વિનંતી કરી અને તેને કાનૂની અને નૈતિક જવાબદારી ગણાવી.

આ પણ વાંચો: ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રે ગયા અઠવાડિયે ગાઝામાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કર્યો હતો, જેનાથી 5,00,000 લોકો પ્રભાવિત થયા છે. એવી પણ શક્યતા છે કે સપ્ટેમ્બર સુધીમાં આ દુષ્કાળ ગાઝાના બે-તૃતીયાંશ ભાગમાં ફેલાઈ જશે. જોકે, ઈઝરાયલે આ રિપોર્ટને બનાવટી કહીને ફગાવી દીધો છે, પરંતુ સુરક્ષા પરિષદના 14 સભ્યોએ તેનું સમર્થન કર્યું છે.