'પશ્ચિમી દેશોની અડચણો છતાં રશિયા ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયર', રશિયન રાજદૂતનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russian ambassador Statement: રશિયા અને ભારતના સંબંધોમાં હાલ ખૂબ દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમી દેશ ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે. ભારત રશિયાથી સતત ઓઇલ ખરીદી રહ્યું છે, જેનાથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ભારત પર ટેરિફ લગાવી ચૂક્યા છે. પરંતુ આ વચ્ચે ભારતમાં રશિયાના રાજદૂતે મોટું નિવેદન આપ્યું છે.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે TASSને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'રશિયા પશ્ચિમની તમામ અડચણો છતાં ભારત માટે ઓઇલનું સૌથી મોટું સપ્લાયર બનેલું છે. અમે ભારતને ઉર્જા સંસાધનોની ખરીદી માટે સારી-સારી ડીલ આપવા રહેવા તૈયાર છીએ.'
રશિયાના રાજદૂત રોસનેફ્ટ અને લુકોઇલ જેવી રશિયન ઓઇલ કંપનીઓ પર લાગેલા અમેરિકન પ્રતિબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકન પ્રતિબંધ નિશ્ચિત રીતે ઓઇલની સપ્લાયને અસર કરી શકે છે. પરંતુ તેમ છતાં પણ અમારા માટે હંમેશા પ્રાથમિકતા છે. અમે માનીએ છીએ કે રશિયા ભારતનું મુખ્ય ઓઇલ સપ્લાયર્સમાંથી એકનો દરજ્જો જાળવી રાખશે.'
અલિપોવે રશિયા-ભારત સંબંધો પર પશ્ચિમી દબાણને નકારતા કહ્યું કે, 'ભારતે રશિયા અને ભારતીય સંબંધોને નબળા કરવા અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર પોતાની સ્થિતિને થોપવાના પશ્ચિમી પ્રયાસોનો મજબૂતીથી મુકાબલો કર્યો છે.'
તેમણે ભાર આપતાં કહ્યું કે, 'ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અવગણીને લગાવવામાં આવેલા ગેરકાયદે પ્રતિબંધોને માન્યતા નથી આપતું. તે સ્પષ્ટ રીતે સમજે છે કે એવા પ્રતિબંધ પશ્ચિમી વેપાર અને નાણાકીય પ્રણાલીઓમાં વિશ્વાસને નબળો કરે છે, જેનાથી સ્વતંત્ર અભિનેતા વૈકલ્પિક તંત્રોની શોધખોળ કરવા પ્રેરિત હોય છે. અમે બ્રિક્સ અને SCO જેવા ગઠબંધનોની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરવામાં આશારૂપી અવસર જોઈએ છીએ.'
આ ઇન્ટરવ્યુમાં અલિપોવે કહ્યું કે, 'પ્રતિબંધો છતાં રશિયા અને ભારત વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો ખૂલ્યા છે. રશિયન બજાર ભારતીય સીફૂડ અને યુએસ ટેરિફ દબાણનો સામનો કરી રહેલા અન્ય માલ માટે ઉકેલ પૂરો પાડી શકે છે. સંયુક્ત ખાતર ઉત્પાદન માટે સારી તકો છે.'
આ પણ વાંચો: બ્રિટનના વિમાન પર રશિયાના વિમાને લેસર બીમ એટેક કરતાં તણાવ વધ્યું, મિલિટ્રી ઓપરેશનની ધમકી
પુતિન-મોદીની આગામી સમિટ પર તેમણે શું કહ્યું?
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આગામી શિખર સંમેલન અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, 'આ શિખર સંમેલન બંને દેશો વચ્ચે સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે, ખાસ કરીને ઉર્જા, વેપાર અને વૈશ્વિક પડકારોના ક્ષેત્રોમાં. પુતિન-મોદી સમિટ માટે મહત્ત્વાકાંક્ષી યોજનાઓ ચાલી રહી છે.'









