Get The App

'જળયુદ્ધમાં અમે ભારતને હરાવીશું...', સિંધુ જળ સંધિ વિવાદ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું દુ:સાહસ

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
Khawaja Asif Claims Islamabad will Defeat India in Water War

Khawaja Asif Claims Islamabad will Defeat India in Water War: પાકિસ્તાન ફરી એકવાર ભારત સામે પોતાની જૂની રટણ લગાવી રહ્યું છે. આ વખતે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, 'પાકિસ્તાન ભારતને 'જળ યુદ્ધ'માં હરાવશે.' તેમનો આ ઇશારો સિંધુ જળ સંધિ તરફ હતો, જેના અંતર્ગત ભારત દ્વારા ચિનાબ નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાને લઈને પાકિસ્તાન નારાજ છે.

ચિનાબના પાણી પર ભારતનું નિયંત્રણ: પાકિસ્તાનનો આરોપ

ખ્વાજા આસિફે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'ભારત જાણી જોઈને ચિનાબ નદીના પાણીને નિયંત્રિત કરી રહ્યું છે અને નદીમાં પાણીનો પ્રવાહ જરૂરિયાત કરતાં ઘણો ઓછો છે. ભારત પરંપરાગત યુદ્ધમાં પરાજિત થયું હતું અને હવે અમે તેને જળ યુદ્ધમાં પણ હરાવીશું.'

તણાવપૂર્ણ માહોલ અને વાર્તાલાપનો અભાવ

ખ્વાજા આસિફની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચિનાબ નદીમાં પાણીના ઓછા પ્રવાહ છે અને તાજેતરમાં થયેલા પહલગામ આતંકવાદી હુમલા અને ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ બંને દેશો વચ્ચેની સત્તાવાર વાતચીત સંપૂર્ણપણે બંધ છે. તેમણે ભારત સાથે કોઈપણ પ્રકારની બેક-ચેનલ વાતચીતનો પણ ઇનકાર કર્યો, જેનાથી પહેલાથી જ તણાવપૂર્ણ સ્થિતિમાં અનિશ્ચિતતાનો વધુ એક સ્તર ઉમેરાયો છે.

આ પણ વાંચો: રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં, બ્રિટિશ કર્નલના દાવાથી દુનિયાના દેશો ચિંતિત

પાકિસ્તાન દ્વારા અનેક પત્રો, ભારત અડગ

આ દરમિયાન, ઇસ્લામાબાદે નવી દિલ્હીને ઘણા ઔપચારિક પત્રો મોકલીને આ નિર્ણયની સમીક્ષા કરવા જણાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ ભારતના જળ શક્તિ મંત્રાલયને ચાર વખત પત્ર લખ્યો છે - જેમાંથી ત્રણ 'ઓપરેશન સિંદૂર' પછી લખવામાં આવ્યા - જેમાં સંધિ સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી.

ભારતની સ્પષ્ટ સ્થિતિ: આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી વાતચીત નહીં

જો કે, ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 24 એપ્રિલે, ભારતે ઔપચારિક રીતે પાકિસ્તાનને સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના પોતાના નિર્ણયની જાણ કરી. ભારતના જળ સંસાધન સચિવ દેબાશ્રી મુખર્જીએ લખ્યું કે સદ્ભાવના સાથે સંધિનું સન્માન કરવું એ સંધિનો મૂળ આધાર છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને નિશાન બનાવીને સીમા પાર આતંકવાદ ચાલુ રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર સંપર્ક કરવા છતાં ભારત પોતાની વાત પર અડગ છે. 

'જળયુદ્ધમાં અમે ભારતને હરાવીશું...', સિંધુ જળ સંધિ વિવાદ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું દુ:સાહસ 2 - image