પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ખતમ, જૈશના આતંકી મૌલાના અબ્દુલ અઝીઝનું રહસ્યમય મોત
Pakistan Terrorist Maulana Abdul Aziz Isar Dies : પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મનનું મોત થયું છે. આતંકનો મોટો ચહેરો કહેવાતા જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઈસરનું રહસ્યમય મોત થયું છે, જેના કારણે ગુપ્ત આકાઓથી લઈને આતંકી નેટવર્ક સુધી ખળભળાટ મચી ગયો છે. કુખ્યાત આતંકી ઈસરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેનું મોત કયા કારણોસર થયું, તે હજુ સુધી રહસ્ય છે. રિપોર્ટ મુજબ તેનો મૃતદેહ પાકિસ્તાનના બહાવલપુરમાંથી મળી આવ્યો છે અને અહીં જ જૈશનો મુખ્ય મથક પણ આવેલું છે.
અબ્દુલ અજીજે ભારતને ધમકી આપી હતી
મીડિયા અહેવાલો મુજબ, આતંકવાદી અબ્દુલ અજીજે ગત મહિને એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેંર ઓક્યું હતું. તેણે ભારતની હાલત USSR જેવી થવાની જાહેરમાં ધમકી આપી હતી. જોકે હવે તે પોતે જ મોતના મુખમાં ધકેલાઈ ગયો છે. તેના મોત પર પાકિસ્તાન સરકાર મૌન ધારણ કરી લીધું છે, જ્યારે જૈશ સંબંધીત મીડિયા એકાઉન્ટ્સ પર તેના મોત અને જનાજાની પુષ્ટી થઈ છે, પરંતુ પાકિસ્તાન સરકાર તરફથી તેના મોતનું કોઈ કારણ કહેવાયું નથી.
આતંકી ઈસર ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો
એવું કહેવાય છે કે, અબ્દુલ અજીજ જૈશ-એ-મોહમ્મદના પંજાબ પ્રાંત, ખાસ કરીને બહાવલપુર, રાવલપિંડી જેવા વિસ્તારોમાં યુવાઓને કટ્ટરપંથી બનાવવાનું તેમજ ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો. તેના મોત જૈશ-એ-મોહમ્મદ, લોકલ ભરતી તેમજ માઈન્ડવોશ નેટવર્કને પણ મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો : 6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં