Get The App

7000 મીટરથી વધુ પર્વતારોહણ કરનારને જ પરમિશન, નેપાળ એવરેસ્ટ પર ચઢાઈના નિયમ કડક બનાવશે

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
7000 મીટરથી વધુ પર્વતારોહણ કરનારને જ પરમિશન, નેપાળ એવરેસ્ટ પર ચઢાઈના નિયમ કડક બનાવશે 1 - image


Image Source: Twitter

Mount Everest: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર હવે કોઈ પણ પર્વતારોહક એમ જ નહીં ચઢી શકશે. નેપાળ સરકારે એક નવો ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે જે હેઠળ માત્ર એવા જ પર્વતારોહકો એવરેસ્ટ પર ચઢી શકશે જેમણે અગાઉ ઓછામાં ઓછા 7,000 મીટરથી વધુ પર્વતારોહણ કર્યું હોય.

પ્રસ્તાવિત નિયમ કયા છે?

નેપાળની સંસદના ઉપલા ગૃહમાં તાજેતરમાં રજૂ કરાયેલા 'ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ બિલ' પ્રમાણે હવે એવરેસ્ટ (8,848.86 મીટર) પર ચઢવા માટે પહેલા પોતાને સાબિત કરવું ફરજિયાત રહેશે. આ બિલમાં ઘણી કડક જોગવાઈઓ છે.

- પર્વતારોહકે 7000 મીટરથી ઉપર ચઢાણનો પુરાવો આપવો પડશે.

- દરેક પર્વતારોહકે ચઢાણના એક મહિનાની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા તરફથી જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત રહેશે.

- સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતાં લોકોને ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

- વર્તમાન 4,000 ડૉલરનો રિફંડેબલ કચરો ડિપોઝિટ ફી હવે નોન-રિફંડેબલ કચરા ફીમાં બદલાશે

- પર્વત પર મૃતદેહોના નિકાલ માટે વીમા યોજનાની પણ જોગવાઈ છે, કારણ કે એક મૃતદેહના નિકાલનો ખર્ચ 20 હજારથી 2 લાખ ડૉલર સુધીનો હોઈ શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન

કેમ જરૂરી છે આ નિયમો?

એક અહેવાલ પ્રમાણે 2024માં અત્યાર સુધીમાં 400થી વધુ પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી મળી છે અને આ સંખ્યા 500 સુધી પહોંચવાની ધારણા છે. જોકે આનાથી નેપાળના અર્થતંત્રને ફાયદો થાય છે, પરંતુ તેનું બીજું પાસું એ છે કે વધતી ભીડને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. 2023માં 17 અને 2024માં 8 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ગ્લેશિયરનું ઝડપથી પીગળવું, એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાની છબી.

300થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

તમને જણાવી દઈએ કે 1953માં સર એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ પર સર કર્યો હતો. ત્યારથી લગભગ 9,000 લોકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે, પરંતુ 300થી વધુ લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. હવે નેપાળ સરકાર પર્વતારોહણ ક્ષેત્રમાં સુરક્ષા, જવાબદારી અને પર્યાવરણીય સંતુલન લાવવા માગે છે. નવા કાયદાને આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Tags :