World

VIDEO : મેક્સિકોના સુપરમાર્કેટમાં ભયંકર વિસ્ફોટ, બાળકો સહિત 23ના મોત, 11થી વધુ ઘાયલ

By GS TEAM
2 Nov 20252 mins read
TukuTouch Logo
મેક્સિકોમાં 'ડે ઑફ ધ ડેડ' તહેવારની ઉજવણી વચ્ચે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા હર્મોસિલો શહેરમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી છે. શનિવારે બનેલી આ ઘટનામાં બાળકો સહિત 23 લોકોનાં મોત થયા છે. લોકપ્રિય ડિસ્કાઉન્ટ ચેઈન વાલ્ડોઝના આ સ્ટોરમાં થયેલી આ દુર્ઘટનામાં 11 લોકો ગંભીર ઈજાગ્રસ્ત પણ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મેક્સિકોના સુપરમાર્કેટમાં ભયંકર વિસ્ફોટ, બાળકો સહિત 23ના મોત, 11થી વધુ ઘાયલ

Mexico Supermarket Blast : મેક્સિકોમાં 'ડે ઑફ ધ ડેડ' તહેવારની ઉજવણી વચ્ચે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા હર્મોસિલો શહેરમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી છે. શનિવારે બનેલી આ ઘટનામાં બાળકો સહિત 23 લોકોનાં મોત થયા છે. લોકપ્રિય ડિસ્કાઉન્ટ ચેઈન વાલ્ડોઝના આ સ્ટોરમાં થયેલી આ દુર્ઘટનામાં 11 લોકો ગંભીર ઈજાગ્રસ્ત પણ થયા છે.

તહેવારમાં ભીડના કારણે મૃત્યુઆંક વધ્યો

આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે મેક્સિકોમાં 'ડે ઑફ ધ ડેડ' તહેવારની ઉજવણી ચાલી રહી છે. સોનોરા રાજ્યના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ પુષ્ટિ કરી છે કે, મૃતકોમાં ઘણા સગીર પણ સામેલ છે. તેમણે આ ઘટનાના કારણો તપાસનો આદેશ આપ્યો છે. ગવર્નરે કહ્યું કે, ‘કોઈ પણ આ દર્દ એકલું સહન નહીં કરે. કટોકટી, સુરક્ષા અને આરોગ્ય સેવાઓએ અનેક લોકોના જીવ બચાવ્યા.’ સોનોરાની રેડ ક્રોસે રાહત અને બચાવ કાર્યમાં તેના 40 કર્મચારીઓ અને 10 એમ્બ્યુલન્સ મોકલ્યા હતા.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

હાલ વિસ્ફોટના કારણોની તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, સ્ટોરની અંદર લગાવવામાં આવેલું ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર દુર્ઘટનાનું સંભવિત કારણ હોઈ શકે છે. શહેરના ફાયર વિભાગના પ્રમુખે કહ્યું કે શું ખરેખર વિસ્ફોટ થયો હતો કે માત્ર આગ લાગી હતી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના ડ્રોન હુમલા, ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગથી ભારે નુકસાન

રાષ્ટ્રપ્રમુખે દુઃખ વ્યક્ત કર્યું, તપાસના આદેશ આપ્યા

મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શિનબૌમે એક્સ પર પોસ્ટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સોનોરાના ગવર્નરનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલીક તપાસના આદેસ આપવાની સાથે ઈજાગ્રસ્તોના પરિવારોને મદદ પૂરી પાડવાનો નિર્દેશ ગૃહ સચિવને આપ્યો હતો.

આ પણ વાંચો : સુદાનમાં નરસંહાર! 200 લોકોને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ