Get The App

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા, ભારત કોની તરફેણમાં?

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા, ભારત કોની તરફેણમાં? 1 - image
AI Image 

Israel-Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ઈઝરાયલનો દાવો છે કે તેમનું આ પગલું વિશ્વના અસ્તિત્વને બચાવવા માટે છે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની નજીક છે અને તેને રોકવું પડશે. અમેરિકા, ફ્રાન્સ, યુકે, જર્મની અને ઈટાલી જેવા દેશો ખુલ્લેઆમ ઈઝરાયલની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ચીન, યમન અને ઈરાક તેની વિરુદ્ધમાં છે. જો કે, ભારતે આ તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસોનો આગ્રહ કર્યો છે.

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે ભારતે શું કહ્યું?

ભારતે ઈરાન પર તાજેતરના ઈઝરાયલી હુમલાઓની નિંદા કરતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના  (SCO) નિવેદનને ટેકો ન આપ્યો.વિદેશ મંત્રાલય (MEA)એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે (13મી જૂન) ઈરાની સમકક્ષ સાથે તણાવ બાબતે ચર્ચા કરી હતી અને આ ઘટનાક્રમ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.



વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO)એ 13મી જૂને ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના વિકાસ પર એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે ઈરાન પરના હુમલા માટે ઈઝરાયલની ટીકા કરી હતી. અમે આગ્રહ કરીએ છીએ કે તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે. ભારતનું વલણ અન્ય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના ઈઝરાયલી અને ઈરાની સમકક્ષો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે તણાવ વધારી શકે તેવા કોઈપણ પગલા ટાળવા અને શક્ય તેટલી વહેલી તકે રાજદ્વારી વલણ અપનાવવા અપીલ કરી હતી.' નોંધનીય છે કે,  મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારતે અન્ય SCO સભ્ય દેશોને તેના વલણ વિશે જાણ કરી દીધી છે અને તેથી જ ભારતે SCO સંયુક્ત નિવેદન પર ચર્ચામાં ભાગ લીધો નહોતો.

આ પણ વાંચો: કેદારનાથ નજીક મોટી દુર્ઘટના, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, CMએ વ્યક્ત કર્યું દુઃખ

ઈઝરાયલ-ઈરાન એકબીજા પર હુમલા કર્યા

ઉલ્લેખનીય છે કે, 13મી જૂનની રાત્રે ઈઝરાયલે ઈરાન પર મોટા હવાઈ હુમલા કર્યા હતા. જેને 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં નતાન્ઝ  (Natanz) જેવા સંવેદનશીલ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં ઘણાં ઈરાની લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા, જ્યારે બદલામાં ઈરાને લગભગ 200 બેલિસ્ટિક મિસાઈલો છોડીને ઈઝરાયલી લક્ષ્યો પર બદલો લીધો હતો. 

ઈરાની મીડિયા અનુસાર, ઈઝરાયલી રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલામાં 60 લોકો માર્યા ગયા હતા, જેમાં 20 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્રને ઇઝરાયલી હુમલામાં 78 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા, ભારત કોની તરફેણમાં? 2 - image



Tags :