World

'ભારતની પાસે 'મૃત' નહીં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર', યુરોપના આ દેશે ટ્રમ્પને આપ્યો જવાબ

By GS TEAM
9 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતમાં ડેનમાર્ક (યુરોપિયન દેશ)ના રાજદૂત રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેનસેને ટેરિફ વિવાદ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર જવાબ આપ્યો છે. ભારતને સમર્થન આપતા તેમણે કહ્યું છે કે, 'અમે ભારતને મૃત અર્થતંત્ર તરીકે જોતા નથી, પરંતુ તે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ ઉપરાંત તેમણે પરસ્પર ફાયદાકારક કરારો સુધી પહોંચવા માટે દેશો વચ્ચે સદ્ભાવના વાટાઘાટો અને સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારતની પાસે 'મૃત' નહીં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર', યુરોપના આ દેશે ટ્રમ્પને આપ્યો જવાબ

European Country Gave A Befitting Reply Trump: ભારતમાં ડેનમાર્ક (યુરોપિયન દેશ)ના રાજદૂત રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેનસેને ટેરિફ વિવાદ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર જવાબ આપ્યો છે. ભારતને સમર્થન આપતા તેમણે કહ્યું છે કે, 'અમે ભારતને મૃત અર્થતંત્ર તરીકે જોતા નથી, પરંતુ તે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ ઉપરાંત તેમણે પરસ્પર ફાયદાકારક કરારો સુધી પહોંચવા માટે દેશો વચ્ચે સદ્ભાવના વાટાઘાટો અને સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડેનમાર્કના રાજદૂતે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો જવાબ

મીડિયા ઈન્ટરવ્યુમાં ડેનમાર્કના રાજદૂત રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેનસેને કહ્યું કે, 'હું ભારતને મૃત અર્થતંત્ર માનતો નથી. તેનાથી વિપરીત  વિશ્વની સૌથી ઝડપથી વિકસતી  અર્થતંત્ર છે. મને લાગે છે કે આનો પુરાવો એ છે કે યુરોપિયન યુનિયન અને ભારત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. મને લાગે છે કે તે પરસ્પર ફાયદાકારક રહેશે.' 

આ પણ વાંચો: 'રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવામાં ભારત કરશે મદદ...' અમેરિકન સાંસદનું મોટું નિવેદન

EU અને ભારતને અસર કરતા ટેરિફના મુદ્દા વિશે ડેનમાર્કના રાજદૂત રાસમસ એબિલ્ડગાર્ડ ક્રિસ્ટેનસેને કહ્યું કે, 'ચોક્કસપણે ડેનમાર્ક, યુરોપિયન દૃષ્ટિકોણથી અમે ભારતને રોકાણ અને વેપાર માટે ખૂબ જ આશાસ્પદ સ્થળ માનીએ છીએ અને જો તે મૃત અર્થતંત્ર હોત તો એવું ન હોત. હું વ્યક્તિગત રીતે માનું છું અને આ ડેનમાર્કનો પણ દૃષ્ટિકોણ છે, બધા જાણે છે કે, અમે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પક્ષમાં છીએ, જ્યાં તે ફક્ત મોટા ખેલાડીઓનો પ્રશ્ન નથી, નાના ખેલાડીઓએ શું કરવું જોઈએ તે નક્કી કરે છે.'

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી અને રશિયાનું ક્રૂડ ઓઈલ આયાત કરવા પર વધુ 25 ટકા ટેરિફની ધમકી આપ્યા બાદ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ચોંકાવનારી પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું 'ભારત રશિયા સાથે શું કરે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. ભારત સાથે અમારો વેપાર ખૂબ ઓછો છે, તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.'