Get The App

દેશવાસીઓ સમક્ષ કરેલા પ્રવચનમાં બ્રાઝિલના પીએમે માન્યો ભારતનો આભાર

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
દેશવાસીઓ સમક્ષ કરેલા પ્રવચનમાં બ્રાઝિલના પીએમે માન્યો ભારતનો આભાર 1 - image

બ્રાઝિલિયા, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પીએમ મોદીનો પત્ર લખીને તો આભાર માન્યો જ હતો પણ સંકટની ઘડીમાં મદદ બદલ પોતાના દેશવાસીઓ સમક્ષ પણ ભારતના વખાણ કર્યા છે.

બોલસોનારોએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યુ હતુ કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે ભારતનો અને પીએમ મોદીનો આભાર, મારી પીએમ મોદી સાથે થયેલી સીધી વાતચીતના પગલે અમને કોરોનાના ઉપચાર માટે દવા બનાવવાનો રો મટિરિયલ ભારત તરફથી મળશે.

દેશવાસીઓ સમક્ષ કરેલા પ્રવચનમાં બ્રાઝિલના પીએમે માન્યો ભારતનો આભાર 2 - imageઆ પહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતી જેર બોલસોનારોએ ભારત દ્વારા હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની મદદ બદલ  પીએમ મોદીને એક પત્ર લખીને કહ્યુ હતુ  કે, સંકટની ઘડીમાં ભારતે કરેલી મદદ એ જ પ્રકારની છે જે રીતે હનુમાનજીએ ભગવાન રામના ભાઈ લક્ષ્મણનો સંજીવની લાવીને જીવ બચાવ્યો હતો. ભારત અને બ્રાઝિલ સંકટની આ ઘડીમાં એક સાથે રહીને તેનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી સફળતાપૂર્વક બહાર આવશે.

Tags :