World

બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટના વિરુદ્ધ દેખાવોમાં હિંસા ભડકી, ગોળીબારમાં 3ના મોત

By GS TEAM
29 Sep 20253 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના ખાગરાછડી જિલ્લાના ગુઈમારા ઉપજિલ્લામાં રવિવારે બપોરે એક સ્કૂલ છાત્રા પર થયેલા દુષ્કર્મના વિરોધમાં પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી, જેમાં ગોળીબારમાં ત્રણ લોકોની હત્યા થઈ અને અન્ય ચાર લોકો ઘાયલ થયા. જુમ્મા છાત્ર જનતા મંચના નેજા હેઠળ પ્રદર્શનકારીઓ ગુઈમારા રોડ પર નાકાબંધી કરી રહ્યા હતા. સવારે 11:30 વાગ્યે સુરક્ષા દળોના આગમન પછી બોલાચાલી થઈ અને ભારે ગોળીબાર શરૂ થઈ ગયો. આ હિંસા દરમિયાન ઘણી દુકાનો લૂંટી લેવામાં આવી અને તેને આગ ચાંપી દેવાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટના વિરુદ્ધ દેખાવોમાં હિંસા ભડકી, ગોળીબારમાં 3ના મોત

Bangladesh Khagrachhari Sexual Assault Case: બાંગ્લાદેશના ખાગરાછડી જિલ્લાના ગુઈમારા ઉપજિલ્લામાં રવિવારે બપોરે એક સ્કૂલ છાત્રા પર થયેલા દુષ્કર્મના વિરોધમાં પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી, જેમાં ગોળીબારમાં ત્રણ લોકોની હત્યા થઈ અને અન્ય ચાર લોકો ઘાયલ થયા. જુમ્મા છાત્ર જનતા મંચના નેજા હેઠળ પ્રદર્શનકારીઓ ગુઈમારા રોડ પર નાકાબંધી કરી રહ્યા હતા. સવારે 11:30 વાગ્યે સુરક્ષા દળોના આગમન પછી બોલાચાલી થઈ અને ભારે ગોળીબાર શરૂ થઈ ગયો. આ હિંસા દરમિયાન ઘણી દુકાનો લૂંટી લેવામાં આવી અને તેને આગ ચાંપી દેવાઈ.

હિંસા અને નુકસાન

ગોળીબારની ઘટના પછી, ગુઈમારાના રમેશુ બજારમાં આવેલી મોટાભાગની સ્વદેશી લોકોની દુકાનોને લૂંટી લેવામાં આવી અને આગ ચાંપી દેવાઈ. આસપાસના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, કાયદા અમલીકરણ કર્મચારીઓ દ્વારા હસ્તક્ષેપ થાય તે પહેલાં તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ ત્યારે જ તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી. બપોરે લગભગ 1:00 વાગ્યે, આશરે 25 લોકોએ બજારમાં લૂંટફાટ કરીને આગચંપી કરી હતી.

UPDF પર હિંસા ભડકાવવાનો આરોપ

આર્મ્ડ ફોર્સીસની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક નિવેદન બહાર પાડીને યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (UPDF) અને તેના સહયોગીઓ પર ખાગરાછડીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

ISPRએ કહ્યું કે, 'UPDFના કાર્યકરોએ રમેશુ બજારમાં રોડ જામ કર્યો, જે કલમ 144નું ઉલ્લંઘન હતું અને બંગાળી સમુદાયના લોકો સાથે સંઘર્ષ કર્યો.

સુરક્ષા દળો પર હુમલો અને ગોળીબાર

ISPR મુજબ, જ્યારે સેનાના જવાનોએ હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સશસ્ત્ર જૂથોએ તેમના પર ઈંટો, લાકડીઓ અને સ્થાનિક હથિયારોથી હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત 10 સૈનિકો ઘાયલ થયા. BGB (બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ)ના કર્મચારીઓ પર પણ હુમલો થયો અને તેમનું એક વાહન ક્ષતિગ્રસ્ત થયું.

ISPRએ આરોપ લગાવ્યો કે 11:30 વાગ્યાની આસપાસ UPDFના સશસ્ત્ર સભ્યોએ રમેશુ બજારની પશ્ચિમની એક ટેકરી પરથી ઓટોમેટિક હથિયારોથી 100-150 રાઉન્ડ ગોળીઓ ચલાવી.

મૃતકો અને તપાસ

ખાગરાછડીના સિવિલ સર્જને હોસ્પિટલમાં ત્રણ લોકો મૃત લાવવામાં આવ્યા હોવાની અને ચાર લોકો ઘાયલ હોવાની પુષ્ટિ કરી. બીજી તરફ, ગૃહ મંત્રાલયે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મંત્રાલયે દાવો કર્યો કે 'ઉપદ્રવીઓ'ના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને એક મેજર સહિત 13 આર્મી જવાનો તેમજ ગુઈમારા પોલીસ સ્ટેશનના અધિકારી સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. મંત્રાલયે ખાતરી આપી કે તપાસ પછી દોષિતોને સજા કરવામાં આવશે અને કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે.

આ પણ વાંચો: ટ્રમ્પે આપેલા H-1B વિઝાના ઘા પર કેનેડા લગાવશે મલમ! PM કાર્નીએ કરી મોટી જાહેરાત

જુમ્મા સમુદાયની માંગણીઓ

જુમ્મા છાત્ર જનતાએ દુષ્કર્મ પીડિતા માટે ન્યાયની માંગ કરતા આજથી ત્રણ પહાડી જિલ્લાઓમાં અનિશ્ચિતકાળ માટે રોડ નાકાબંધીની જાહેરાત કરી છે. સમૂહે આરોપ લગાવ્યો છે કે સેના અને સેટલર્સ (બંગાળી વસાહતીઓ) એ ગુઈમારામાં લૂંટફાટ અને આગચંપી કરી, જેમાં ચાર લોકો માર્યા ગયા. તેમની માંગ છે કે દુષ્કર્મના બે બાકી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, તેમજ પીડિતાને પર્યાપ્ત નાણાકીય વળતર આપવામાં આવે અને વિસ્થાપિત લોકોના પુનર્વસન માટેના વળતરનો સમાવેશ થઇ જાય છે.