Get The App

ઘરમાં ગંદા જૂતાં પહેરવાતી નથી થતી આ બીમારી

Updated: Jul 9th, 2019

GS TEAM

Google News
Google News

બાળપણથી જ આપણને ઘર સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો બાળકો ઘરમાં ગંદા જૂતાં પેહરીને આવે તો એમને પણ ધમકાવી નાંખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગંદા જૂતાના ઉપયોગથી કેટલીક બીમારીઓ દૂર રહે છે. જેમાં એક તો જીવલેણ બીમારી અસ્થમા પણ છે. 

ઘરમાં ગંદા જૂતાં પહેરવાતી નથી થતી આ બીમારી 1 - image

નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમારું બાળક ક્યારેક ઘરમાં ગંદા જૂતા પહેરીને આવે તો એને ધમકાવશો નહીં કારણ કે આમ કરીને તે અસ્થમાથી બચી શકે છે. એક નવી શોધમાં કહેવાયું છે કે ઘરમાં ગંદા જૂતાં પહેરવાથી બાળકોને અસ્થમા નથી થતો. એનું કારણ છે કે અસ્થમાના બેક્ટેરિયા માટીમાં લચીલા થઇ જાય છે.  

ઘરમાં ગંદા જૂતાં પહેરવાતી નથી થતી આ બીમારી 2 - image

માટીમાં અનેક પ્રકારની જીવધારી સંરચનાઓ હોય છે, જે બાળકોને અસ્થમાની બીમારીથી બચાવે છે. આ અંગે સંશોધકોએ જણાવ્યું છે કે આ વાતને સાબિત કરવા માટે ફિનલેન્ડ અને જર્મનીના 1400 પરિવારોના ઘરમાંથી બેક્ટેરિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એમાં જે જાણવા મળ્યું એ પછી નિષ્ણાંતો એવા તારણ પર આવ્યાં એ છે કે જો બાળકો ઘરમાં ગંદા જૂતા પહેરીને આવે તો તેમને અસ્થમા થવાનું જોખમ ઘટી જાય છે. આટલું જ નહીં જે ઘરમાં વધારે ભાઈ-બહેન હોય ત્યાં પણ અસ્થમા થવાનું જોખમ ઓછું હોય છે. 

Tags :