mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોરોના બાદ હવે આ નવા વાયરસની ભારતમાં એન્ટ્રી, બાળકોમાં ખાસ જોવા મળશે તેની અસર

સાવચેતી અને સ્વચ્છતા જાળવી રાખવી અનિવાર્ય

Updated: Jan 24th, 2023

કોરોના બાદ હવે આ નવા વાયરસની ભારતમાં એન્ટ્રી, બાળકોમાં ખાસ જોવા મળશે તેની અસર 1 - image


કેરળ, 24 જાન્યુઆરી 2023, મંગળવાર 

કેરળમાં આજે કોરોનાનો નવો એક વેરીયંટ સામે આવતા તંત્ર ત્યાં સતર્ક બન્યું છે. આ નવા વાયરસનું નામ છે - નોરોવાયરસ. કેરળમાં નોરોવાયરસના બે નવા કેસ સામે આવ્યા છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ અંગે બધું ચિંતા કરવાની જરૂર નથી પરંતુ થોડી સાવધાની રાખવાની આવશ્ક્યતા છે. 

આ નોરોવાયરસની અસર બાળકોમાં વધારે જોવા મળે છે ત્યારે કેરળમાં નોધાયેલા નોરોવાયરસના બન્ને દર્દીઓની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.. 

શું  છે આ નોરોવાયરસ?? 
ફ્લુના લક્ષણો ધરાવતા આ વાયરસ પેટના ફ્લુ તરીકે પણ ઓળખાય છે. આ એક ખુબ ઝડપથી ફેલાતો ચેપી વાયરસ છે. આ વાયરસની અસર સીધી પાચનતંત્ર પર પડે છે. આ ચેપ લાગવાનું મુખ્ય લક્ષણ ઝાડા અને ઉલટી છે. આથી જ આ વાયરસને પેટના ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગે આ રોગનો ચેપ બાળકોમાં વધારે જોવા મળે છે.. નોરોવાયરસ વાસી કે પડી રહેલા, જુના ખોરાકને આરોગવાથી થતો રોગ છે.  એક રીસર્ચ અનુસાર, નોરોવાયરસના ઘણા પ્રકાર હોવાથી દરેક વ્યક્તિને ઘણી વખત નોરોવાયરસનું સંક્રમણ લાગી શકે છે. 

નોરોવાયરસ કેવી રીતે ફેલાય છે?
જો તમે નોરોવાયરસ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવો તો તમને આનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત, આ વાયરસથી વાસી કે પડી રહેલો  ખોરાક ખાવાથી,  ગંદકી ભરેલ જગ્યાએ સ્પર્શ કરવાથી  હાથ મારફતે તે શરીરમાં પ્રવેશ કરે છે. 

નોરોવાયરસના સામાન્ય  લક્ષણો :
ઉલટી
ઝાડા
શરદી
પેટમાં ચૂંક આવવી 
માથાનો દુ:ખાવો
સ્નાયુઓમાં દુખાવો

નોરોવાયરસ શરીરને અસર કેવી રીતે કરે છે? 
નોરોવાયરસના મુખ્ય લક્ષણમાં ઝાડા અને ઉલટી થતી હોવાથી તે સૌથી પહેલા તો  ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે અને શરીરમાં એનર્જી રહેતી નથી આથી આખો દિવસ થાકનો અનુભવ કે શરીરમાં દુખાવો રહે છે. બાળકો, વડીલો અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓચ્ચી હોય તેવા લોકોએ ખાસ જાળવીને રહેવું જોઈએ અનેસ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

નોરોવાયરસના ચેપથી કેવી રીતે બચશો ? 
સૌથી પહેલા તો આ વાયરસ હાથથી ફેલાતો હોવાથી વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખો, કે પછી સ્વચ્છ પાણીથી હાથ ધોવાનું રાખો.
ખાસ કરીને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ, જમતા પહેલા, રસોઈ બનાવતા પહેલા, બહારથી આવીને સૌ પહેલા હાથ ધોવા જરૂરી.
બહાર ક્યાય પણ કશું પણ ખાતા પહેલા કે ખાઈ લીધા બાદ પણ હાથને ચોખ્ખા કરો.
ખાસ કરીને બહાર ખાતી વખતે જમવાનું ફ્રેશ હોય તેનું ખાસ ધ્યાન રાખો, ઘરે પણ ઠંડુ કે પડી રહેલું ખાવાનું ટાળો.
ઘરમાં શાકભાજી કે ફળને લાવીને સૌ પહેલા બરાબર પાણીથી સાફ કરો.
જો ઘરમાં કોઈને આનો ચેપ લાગે કે ઝાડા-ઉલટી થાય તો આખા ઘરને સેનેટાઈઝ કરો.
નોરોવાયરસ માંથી રિકવર થયા  બાદ પણ થોડો સમય ભીડમાં જવાનું કે લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. 

નાના બાળકો અને વૃદ્ધો કે સગર્ભાને ઇમ્યુનિટી વધે તેવો આહાર આપવો જોઈએ અને આ ઉપરાંત ગરમ અને પૌષ્ટિક આહાર લેવાનું રાખો, જે સાવચેતીના પગલા કોરોના સામે લીધા છે તે જ પગલા નોરોવાયરસ સામે લેવાથી તેના સંક્રમણથી બચી શકાય છે. 

Gujarat