શું તમે ઔષધિય જડી-બુટ્ટી શતાવરીના ફાયદાઓ વિશે જાણો છો?
- જાણો, શું છે શતાવરી સાથેનું હેલ્થ કનેક્શન?
નવી દિલ્હી, તા. 06 જુલાઇ 2020, સોમવાર
શતાવરી હિમાલયમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરી વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ લો કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધિ સ્કિનમાં પણ નિખાર લાવે છે અને ઉંમરને ચહેરા પર હાવી થતા અટકાવે છે. જાણો, શતાવરીના ફાયદાઓ વિશે...
શતાવરીથી થતા ફાયદા :
- શતાવરી તે લોકો માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે, જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે.
- શતાવરીના ઉપયોગથી સ્કિન ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.
- શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે.
- શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. એવામાં તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.
કેટલીક સાવધાનીઓ રાખો.
- શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ.
- શતાવરીને ડાયરેક્ટ સ્કિન પર લગાવવાથી એલર્જીની સમસ્યા ઉદ્દભવી શકે છે.
- જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.
- શતાવરીનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.