Gujarat

ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરતાં રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો છે. સોમવારે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, ભરુચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ મંગળવારે (24મી ફેબ્રુઆરી) પણ હવામાન વિભાગે છ જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોંધનીય છેકે, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં

Unseasonal Rain Alert in Gujarat: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરતાં રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો છે. સોમવારે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, ભરુચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ મંગળવારે (24મી ફેબ્રુઆરી) પણ હવામાન વિભાગે છ જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોંધનીય છેકે, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.


6 જિલ્લામાં 'યલો ઍલર્ટ' અને વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરતાં સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભરુચ, તાપી, સુરત અને નર્મદામાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ: સૌરાષ્ટ્રના અમરેલી સહિતના ભાગો અને કચ્છમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાનો જમીનદોસ્ત, આજે બંગલાઓ પર ચાલશે બુલડોઝર

દિવસભર વાદળછાયું વાતાવરણ અને સાંજે વરસાદ

અમદાવાદમાં સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે, ગોતા અને ચાંદલોડિયામાં દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા હતા. જ્યારે રાત્રિના સમયે પ્રહ્લાદનગર, સરખેજ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડા પવન અને ભારે ભેજને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેનાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનો વ્યાપ

ફેબ્રુઆરીમાં એકસાથે ઠંડી, ગરમી અને વરસાદનો અનુભવ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને રવિ પાકની કાપણીના સમયે જ માવઠું થતાં ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘઉં, જીરું અને રાયડો જેવા પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.