ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 53 થયા, આજે નવા 6 નોંધાયા
Updated: Mar 28th, 2020
અમદાવાદ, તા. 28 માર્ચ 2020 શનિવાર
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 873ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.
149 new #Coronavirus positive cases have been reported in last 24 hours, total positive cases in India now stand at 873. https://t.co/1XkxnoDWTj
— ANI (@ANI) March 28, 2020
Six more people have been tested #COVID19 positive, taking total number of cases to 53 in Gujarat: Jayanti Ravi, Principal Secretary, Health and family welfare Department pic.twitter.com/dualdFdvwb
— ANI (@ANI) March 28, 2020