Gujarat

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

By GS TEAM
28 Jul 20251 min read
TukuTouch Logo
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Ambaji Temple Darshan-Arti time : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આગામી ભાદરવી પૂનમના રોજ માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 સપ્ટેમ્બર, 2025ના રવિવારના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે અને માતાજીના દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી કરી શકાશે. 


આ પણ વાંચો: જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી

જ્યારે સવારે 10 થી 10:30 વાગ્યે રાજભોગ, 10:30 થી 12 વાગ્યામાં સાયજકાલની પુજા અને બપોરે 12 થી 12:30 વાગ્યે સાયજકાલની આરતી થશે. આ પછી 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે.