Updated: Feb 20th, 2023
ભાભર, 20 ફેબ્રુઆરી 2023 સોમવાર
સમાજના રીતરિવાજો અને પરંપરાઓને લઈને અનેક પ્રકારના ખર્ચાઓ સામે લોકો તૂટી જતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સમાજ સુધારણા માટે ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના વિવિધ રિવાજો સામે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સમાજના આગેવાનોએ 11 મુદ્દાઓ પર સમાજના નાગરીકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પ્રતિજ્ઞા લીધી
બનાસકાંઠાના ભાભર તાલુકાના લુણસેલ ખાતે ઠાકોર સમાજના સુધારા માટે 11 મુદ્દાઓ પર સમાજના આગેવાનોએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં DJ તથા સગાઈ અને લગ્નમાં મર્યાદિત લોકોએ જવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત સમાજમાં મોબાઈલને લીધે વધી રહેલી બદીઓને રોકવા માટે દીકરીઓને મોબાઈલથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. તે ઉપરાંત સમાજના અગ્રણીઓએ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી