અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : ગુજરાતમાં લાઠી, કોટડા, વીંછીયા સહિતના વિસ્તારોમાં ઠાકોર સમાજના લોકો પર કરવામાં આવતા ખોટા કેસો અને ઠાકોર નિગમમાં ફાળવવામાં આવેલા બજેટ મામલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે અમરેલીના લાઠીમાં કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના લોકો પર કરાયેલા ખોટા કેસો પરત ખેંચવા અને ઠાકોર નિગમમાં ફાળવવામાં આવેલું બજેટ વસ્તીના આધારે આપવામાં આવે તેવી તેઓએ માગ કરી હતી.
'ઠાકોર સમાજના લોકો પરના ખોટા કેસો પરત ખેંચવામાં આવે...'
લાઠી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઠાકોર સમાજ પર હત્યા સહિતના ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. આમ, ખોટા કેસો થયા છે તે પાછા ખેંચવામાં આવે.

વસ્તીના આધારે બજેટ ફાળવવાની માગ
ઠાકોર નિગમમાં ફાળવાતા બજેટને લઈને તેઓએ જણાવ્યું હતું કે, સમાજને મજાક સમાન બજેટ ફાળવવામાં આવે છે. આમ, વસ્તીના ધોરણે બજેટ ફાળવવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. ઠાકોર સમાજના લોકોએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.








