- આચાર્યએ ઠપકો આપતા બાળક નાસી ગયું હોવાનો પરિવારનો આક્ષેપ
- બાળક શુક્રવારે સાંજે પોકેટ મનીના રૂ. 500 લઈને ઘરેથી નીકળી ગયો
- આચાર્યના ઠપકાથી પુત્ર ગભરાઇને ચાલી ગયો છે : વાલી
અંશના વાલીના જણાવ્યા મુજબ, તેના ક્લાસના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, આચાર્યએ જાહેરમાં વિદ્યાર્થીને ધમાલ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તે ડરી ગયો હતો. તેમજ બોડિંગમાં રહેતા એક વિદ્યાર્થી સાથે અંશને ઝઘડો પણ થયો હોવાનું તેના સાથી મિત્રોએ જણાવ્યું હતું. સંસ્થા દ્વારા વારંવાર નિવેદનો બદલવામાં આવી રહ્યાં છે અને આચાર્યના ઠપકાને કારણે જ પુત્ર ગભરાઈને ચાલી ગયો છે.
- બોરસદ પાલિકાની ત્રિનેત્ર યોજના માત્ર કાગળ પર
બોરસદ પાલિકા દ્વારા બે મહિના અગાઉ મોટી જાહેરાતો કરીને બોરસદ શહેરમાં ત્રિનેત્ર યોજના હેઠળ બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિત અન્ય વિસ્તારોના ૨૦ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાની જાહેરાતો કરી હતી અને રૂપિયા ૨૫ લાખથી વધુનું ટેન્ડર પણ મંજૂર કર્યુંું હતું. પરંતુ માત્ર પોલ ઉભા કરી દેવાયા છે.
- વિદ્યાર્થીને ઠપકો આપ્યો નથી, તારા પેરેન્ટ્સને લઇને શાળાએ આવજે : શાળા સંચાલક
વાત્સલ્ય ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના સંચાલક વિશાલ પટેલે જણાવ્યું હતું કે, અંશને શાળા તરફથી કોઈપણ જાતનો ઠપકો આપવામાં આવ્યો નથી, માત્ર એને એટલું જ કહેવામાં આવ્યું હતું કે, કાલે તારા પેરેન્ટ્સને લઈને શાળામાં આવજે. જેથી અમારું માનવુંં છે કે, અંશ ગભરાઈ ગયો હોય અને આવું પગલું ભર્યુંર્ું હોય, અમે પણ અંશને શોધવાની કામગીરી કરી રહ્યાં છીએ.


