Get The App

સુરતના ઉધનામાં બેફામ દોડતી કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરનો ભોગ લીધો, મેયરના તપાસના આદેશ

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
સુરતના ઉધનામાં બેફામ દોડતી કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરનો ભોગ લીધો, મેયરના તપાસના આદેશ 1 - image


Surat Accident: સુરતના ઉધના વિસ્તારમાં મહાનગર પાલિકાની કચરાની ગાડીએ બુધવારે (29 મે) રાત્રે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 13 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ, પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આ વધુ તપાસ હાથ ધરી છે. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સુરતના ઉધનામાં મહાનગર પાલિકાની કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતો 13 વર્ષીય કાર્તિક નેહેતે બુધવારે રાત્રે (28 મે) પોતાની બહેનો સાથે મોપેડમાં ઘરની નજીક સોડા પીવા નીકળ્યો હતો. આ દરમિયાન SMCની કચરાની ગાડી અચાનક પૂરપાટે ઝડપે આવી અને ટર્ન લીધો અને સીધી જ મોપેડ સાથે અથડાઈ. આ ટક્કરના કારણે કાર્તિક અને તેની બહેન મોપેડમાંથી નીચે પડ્યા જેમાં કાર્તિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને બહેનને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતનાં 21 જિલ્લામાં વરસાદની આગાહી, આજે પણ મેઘરાજા મન મૂકીને વરસશે!

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી કચરાની ગાડીના ચાલક વિરૂદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. 

પરિવારે કડક સજાની કરી માંગ

પોતાના વ્હાલસોયાના ગુમાવવાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારે ડ્રાઇવરને કડકમાં કડક સજાની માંગ કરતા માર્ગ સલામતી માટેની સુવિધા વધારવાની તંત્ર પાસે માંગ કરી હતી. તેમનું કહેવું છે કે, મારી દીકરી ઓછી સ્પીડે જ ટુ-વ્હીલર ચલાવી રહી હતી, પરંતુ સાઇડલાઈટ આપ્યા વિના એકદમથી કચરાની ગાડી આવી ગઈ અને આ અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતી એજન્ટને 10 વર્ષની સજા

મેયરે આપ્યા તપાસના આદેશ

સમગ્ર ઘટનાને લઈને સુરત મેયર દક્ષેશ માવાણીએ આ અંગે ડ્રાઇવર સામે તપાસના આદેશ આપ્યા છે. તેમજ કોઈપણ સરકારી વાહન યોગ્ય લાઇસન્સ ધરાવતી વ્યક્તિ જ ચલાવે છે કે નહીં તે વિશે પણ તપાસ હાથ ધરવાની વાત કહી છે. નોંધનીય છે કે, આ અગાઉ બીઆરટીએસની બસે અકસ્માત કર્યો હતો ત્યારે પણ આ પ્રકારના આદેશ  આપવામાં આવ્યા હતા. 

Tags :