Get The App

સૌરાષ્ટ્ર કે કચ્છથી મુંબઈ જતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સુપરફાસ્ટ તેજસ ટ્રેનો શરૂ, જાણો રૂટ અને સમય

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્ર કે કચ્છથી મુંબઈ જતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સુપરફાસ્ટ તેજસ ટ્રેનો શરૂ, જાણો રૂટ અને સમય 1 - image


Western Railway: હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકો ઉનાળા વેકેશનમાં ફરવા જવાનું નક્કી કરે છે. એવમાં પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. આ બંને ટ્રેન તેના રૂટ દરમિયાન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સહિતના સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે. 

આ પણ વાંચોઃ વન નેશન, વન ઈલેક્શનના નામે પંચાયતોની ચૂંટણી રોકવાનો કારસો, 3 વર્ષથી વહીવટદારોનું શાસન

રાજકોટ ગાંધીધામ વચ્ચે દોડશે બે સુપરફાસ્ટ તેજસ

ઉનાળા દરમિયાન મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે બે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. જેમાં આગામી જૂન મહિનાથી દર મંગળવારે સાંજના 18.55 કલાકે ગાંધીધામથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 30 જૂન સુધીમાં 10 ફેરાઓ મારશે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં રફ્તારનો કહેર: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં 1નું મોત, 3 ઈજાગ્રસ્ત

રેલવે વિભાગે જણાવ્યું કે, આગામી 30 મેથી દર ગુરૂવાર અને શનિવારે સાંજના 18:30 કલાકે રાજકોટથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 28 જૂન સુધીમાં કુલ 18 ફેરાઓ મારશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.


Tags :