Gujarat

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવાર

By GS TEAM
23 Nov 20251 min read
TukuTouch Logo
અમરેલીના જાફરાબાદના મધદરિયામાં દુર્ઘટના સર્જાતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટમાં અકસ્માતના બનાવ અંગે કોસ્ટગાર્ડ જાણ કરવામાં આવી હતી. આ પછી કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખલાસીનું રેસ્ક્યૂ કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવાર

Amreli News : અમરેલીના જાફરાબાદના મધદરિયામાં દુર્ઘટના સર્જાતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટમાં અકસ્માતના બનાવ અંગે કોસ્ટગાર્ડ જાણ કરવામાં આવી હતી. આ પછી કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખલાસીનું રેસ્ક્યૂ કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, જાફરાબાદની અકબરી કસ્તી નામની બોટ મધદરિયામાં હતી, ત્યારે આજે રવિવારે (23 નવેમ્બર) બોટમાં અકસ્માત થતાં ખલાસી ખલાસી મોહનભાઈ શિયાળનો પગ કપાઈ ગયો હતો. ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં કોસ્ટગાર્ડને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જાણ

જેમાં કોસ્ટગાર્ડની ટીમ મધદરિયે જઈને ખલાસીને સારવાર કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત ખલાસીનું રેસ્ક્યૂ કરીને વધુ સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.